આપણી સરકાર હવે આપણી મિલકતો અને કમાતા-ધમાતા દિકરા સમાન ઉદ્યોગોનું ખાનગી કરણ કરતી જઈ રહી છે. જેમાંનું એક છે અમદાવાદ એરપોર્ટ. જેને અદાણીના હાથમાં સોંપવામાં તો આવ્યું જ છે.
હવે અદાણીએ શરૂ કર્યા લૂંટવાના ધંધા
એરપોર્ટમાં પ્રવેશવાના પણ આપવા પડશે પૈસા
1 મિનિટ પણ ગાડી ગઈ ગયા તો 90 રૂપિયાની પોચ મળશે
પરંતુ હવે અદાણીએ લોકોને લૂંટવાનું પણ શરૂ કરી દીધું છે. થોડા દીવસ પહેલા જ વીટીવીના અહેવાલ બાદ એરપોર્ટમાં અન્ટ્રી ચાર્જને લઈને અદાણી દ્વારા 10 મિનિટ ફ્રી ચાર્જની જાહેરાત કરાઈ હતી. પરંતુ આ જાહેરાત બાદ ફરી વીટીવીએ રિયાલિટી ચેક કર્યું તો ચોંકાવનારી જ તસવીરો સામે આવી. 10 ફ્રી ચાર્જ તો માત્ર લોકોને મુર્ખ બનાવવા માટેનું બહાનું હતું.
વીટીવી ફરી રિયાલિટી ચેક માટે પહોંચ્યું
ઉઘાડી લૂંટ કોને કહેવાય...અને કેવી રીતે લોકો લૂંટાઈ રહ્યા છે..તેનું રિયાલિટી ચેક કરવા માટે અમે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા..કારણ કે, પાર્કિંગ ચાર્જના મુદ્દે વીટીવીએ અહેવાલ રજૂ કર્યા બાદ અદાણી ઓથોરિટીએ તેના ટાઈમમાં વધારો કર્યો હતો અને 5 મિનિટની જગ્યાએ 10 મિનિટનો ટાઈમ કર્યો હતો. તેમ છતાં અહીં લોકોને લૂંટવામાં આવી રહ્યાની જાણ થતા વીટીવી ફરી રિયાલિટી ચેક માટે પહોંચ્યું..
અમારી ટીમ જેવી જ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર પહોંચી કે અમને પણ એક પોંચ પકડાવી દેવામાં આવી. અમે એરપોર્ટમાં પ્રવેશ્યા અને લોકો સાથે પણ સાચી સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો.
90 રૂપિયા ચાર્જ વસૂલવામાં આવી રહ્યા છે
જોકે અમને તો બહાર નિકળતા થોડી વાર લાગી. પરંતુ જેવા જ અમે ટોલગેટ પર પહોંચ્યા કે, કેટલાક લોકો પૈસાની ઉઘરાણી કરનારા સંચાલકો સાથે ઝઘડો કરતા જોવા મળ્યા..આ વિવાદ ટોલને લઈને હતો. કારણ કે, અહીં તમે માત્ર એક મિનિટ માટે પણ એરપોર્ટમાં પ્રવેશો તો તમારી પાસેથી 90 રૂપિયા ચાર્જ લઈ લેવામાં આવી રહ્યો છે.
અદાણીની બેફામ લૂંટ
લોકોની વાત તો સાચી છે. અહીં માત્ર 3-4 મિનિટ પણ થાય કે, 10 મિનિટથી ઓછો સમય પણ થાય તો તમારી પાસેથી 90 રૂપિયા અદાણી ઉઘરાવી લે છે. એટલે કે, અદાણી બેફામ રીતે લોકોને લૂંટી રહ્યો છે. જોકે અમે અહીં ટોલ સંચાલક સાથે વાત કરવાની કોશિશ કરી તો તેણે એવું કહ્યું કે, 10 મિનિટ માત્ર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્રી છે. ડોમેસ્ટિક એરપોર્ટ પર 90 રૂપિયા ફરજિયાત છે. એટલે કે, તમે અંદર 1 મિનિટ માટે જાઓ કે, 10 મિનિટ માટે તમારે 90 રૂપિયા તો અદાણીને આપવા જ પડશે..
સરકારે સામે ઉભા થયાં અનેક સવાલ
ઉઘાડી લૂંટ..માત્ર જનતાને મારવા માટે જ છે..ત્યારે સવાલ એ થાય કે, શા માટે આ રીતે લોકો પાસેથી ઉઘાડી લૂંટ કરવામાં આવી રહી છે? શું અદાણીને લોકો પાસેથી લૂંટ મચાવવા માટે એરપોર્ટ સોંપ્યું છે? ડોમેસ્ટિક એરપોર્ટ પર શા માટે 90 રૂપિયા ચાર્જ વસુલવામાં આવી રહ્યો છે? કેમ અહીં પણ લોકોને 10 મિનિટ ફ્રી નથી આપવામાં આવી રહી? શું કોઈ માત્ર 5 મિનિટ માટે અંદર આવશે તો પણ 90 રૂપિયા તોડી લેશો? શું આ આમ આદમીને લૂંટવા માટેનું ષડયંત્ર છે? શું ભાજપની સરકાર જ ઈચ્છે છે કે, આવી રીતે લોકો લૂંટાય? શું આપણી ન્યાય પાલીકાઓને લોકોની આ પરેશાની નથી દેખાતી? હાલ તો એવું જ લાગે છે કે, સરકાર પણ ઈચ્છી રહી છે કે, લોકો લૂંટાઈ અને જો ન ઈચ્છી રહી હોય તો આશા રાખીએ કે, અમારા આ અહેવાલ બાદ આ અદાણીની આ લૂંટને અટકાવશે..