અમદાવાદના લાલદરવાજા વિસ્તારમાં AMTS બસને અકસ્માત નડયો છે. લાલદરવાજા પાસે AMTS બસ નંબર 33નો અકસ્માત થવાની ઘટના સામે આવી છે. નાના-મોટા વાહનો બાદ તાજેતરમાં એક પછી એક બસના અકસ્માતમાં વધારો થયો છે મળતી માહિતી મુજબ આ બસનું સ્ટેરિંગ લોક થતાં આ ઘટના ઘટી હતી.
સમગ્ર ઘટના વિષે જણાવીએ તો લાલદરવાજા પાસે AMTS બસનું અચાનક સ્ટેરિંગ લોક થતા બસ દિવાલમાં ઘુસી હતી. જોકે આ બસમાં કોઈ પણ મુસાફર સવાર ન હતો તેના કારણે કોઈ પણ જાનહાનિ થઈ ન હતી.
સમગ્ર ઘટના વિષે જણાવીએ તો અમદાવાદના લાલદરવાજા વિસ્તારમાં AMTS નંબર 33નો અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી અનુસાર ચાલતી બસનું અચાનક સ્ટેરિંગ લોક થઇ ગયું હતું જેના કારણે સંતુલન ગુમાવતા આ બસ દીવાલ સાથે અથડાઈ હતી. મહત્વનું છે કે બસ ખાલી હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.
જોકે આ ઘટનાને લઈને તંત્ર સામે અનેક સવાલો ઉભા થાય છે આ અકસ્માત તંત્રની બેકારદારીના કારણે થયો હોવાનું સામે આવ્યું છે કારણ કે બસનું
સ્ટેરિંગ અચાનક લોક થયું હતું.તંત્ર સામે સવાલ ઉભો થાય છે કે જો આ બસમાં લોકો સ્વર હોત તો તેમની જવાબદારી કોની? આવા અનેક સવાલો તંત્ર સામે ઉભા થાય છે.