વધતા જતા પ્રદૂષણને ડામવા ભારત સરકાર ઈલેક્ટ્રોનિક વાહનોના ઉપયોગ પર વધુ ભાર મુકી રહી છે. ત્યારે વાયબ્રંટ ગુજરાતમાં પણ ઈલોક્ટ્રોનિક બસનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જે બસ ટૂંક સમયમાં જ અમદાવાદના રસ્તાઓ પર દોડશે.
ત્યારે આ બસની ખાસિયત શું છે તે અંગે જો વાત કરવામાં આવે તો આ બસ BRTSની સાથે અમદાવાદના રસ્તાઓ પર દોડશે. આ બસમાં એન્જીન નથી. માત્ર એલેક્ટ્રિક બેટરી અને મોટર છે. જેના વડે તે ચાલશે. એટલે કે પ્રદુષણ શૂન્ય ટકા હશે.
એટલું જ નહીં પરંતુ મુસાફરોના કન્ફટને લઈને પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું. બસમાં સ્ટાન્ડર્ડ એસીની સાથે. મુસાફરોને બેઠક વ્યવસ્થા માટે સીટો પર પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. એટલું જ નહીં પરંતુ જન માર્ગ દ્વારા 300 જેટલી બસનો માટેનું ટેન્ડર પણ અપાઈ ચૂક્યું છે. એટલે કે આગામી વર્ષોમાં અમદાવાદના રસ્તાઓ પર સંપૂર્ણ પણે ઈલેક્ટ્રોનિક બસો દોડી શકે છે.