અમદાવાદ ઘોડાસરના રાજીવનગર વિસ્તારમાં એક પ્રેમી યુગલે ગળેફાંસો ખાઇને આપઘાત કરવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા ત્યાં અને પોલીસને સ્યુસાઈડ નોટ મળી આવી હતી.
પોલીસને મળી આવેલ સ્યુસાઈડ નોટમાં બંને પ્રેમી યુગલો પ્રેમમાં અસર થવાને લીધે આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સિવાય બીજા કોઈપણ વ્યક્તિ આપઘાત માટે જવાબદાર ન હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે.
રસપ્રદ વાત એ છે કે બંને યુગલ ઇસનપુર કેડીલા બ્રીજ પાસેના વતની છે પરંતુ તેમણે સંબંધીના ત્યાં આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. બંને પ્રેમીઓના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા હતા ત્યારબાદ હવે પોલીસે સ્યુસાઇડ નોટના આધારે વધુ તપાસ હાથ ધરી છે.