અમદાવાદમાં આવેલી એક ઝૂપડટ્ટીમાં આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી ભયંકર હતી કે જોતજોતામાં સમગ્ર ઝૂપડટ્ટી આગની લેપટમાં આવી ગઈ. નારોલ વિસ્તારમાં આવેલા ચંડોળા તળાવ નજીક આવેલી ઝૂપડપટ્ટીમાં આ આગ લાગી હતી.
જે બાદ સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ અને જોતજોતામાં 40 જેટલા ઝૂપડાઓ આગની લપેટમાં આવી ગયા. ચંડોળા તળાવ નજીક આવેલી અમ્મા મસ્જીદ પાસેના ઝૂપડાઓમાં આ આગ લાગી હતી. આગ લાગતા સ્થાનિકોના જીવ તાળવે ચોટ્યો હતો.
જે બાદ આગની જાણ ફાયર વિભાગને કરવામાં આવ્યો હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગના 20 જેટલા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રથામિક તારણ અનુસાર વહેલી સવારે તાપણાથી આગ લાગી હોવાનુ અનુમાન છે. જોકે ફાયર વિભાગ દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.