અમદાવાદ શહેરમાં સાબરમતી નદી પર બનેલા 53 વર્ષ જૂના સુભાષબ્રિજના સમારકામની કામગીરી હાથ ધરાઈ છે. આજથી 8 રવિવારે સુધી કામગીરી હોવાના કારણે બ્રિજ વાહન-વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બ્રિજના એકસ્પાન્સન જોઇન્ટ અને બેરિંગ બદલવાની કામગીરી કરવામાં આવી રહી છે. રવિવારે તમામ પ્રકારના વાહનોને વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવો પડશે. બ્રિજના ઉપરના ભાગમાં તિરાડ પડી હોવાના કારણે તંત્ર દ્વારા રિપેરીંગ કરવાની કામગીરી શરૂ કરાઈ છે.
સુભાષબ્રિજને રિપેરિંગ માટે ઉંચો કરવા 150 ટનની ક્ષમતા ધરાવતા 8 હાઇડ્રોલિક જેક મશીન તેમજ 20 મેટ્રિન ટનની ક્ષમતા ધરાવતા 14 હાઇ ડ્રોલિક જેક મશીનને કામે લગાડશે. તેના માટે 2.25 કરોડનો ખર્ચ થશે. સુભાષબ્રિજ બાદ તંત્ર દ્વારા નહેરૂબ્રિજના રિપેરિંગની કામગીરી કરવામાં આવશે.