આ ઉપરાંત સરફેસી એક્ટ હેઠળ કલેકટર વિક્રાત પાંડે દ્વારા સુનવણી હાથ ધરાશે. વર્ષ 2015થી 2018ના સાડા ત્રણ વર્ષના ગાળામાં જ બેંકોને નાણા નહી આપવાના કિસ્સાઓમાં 400 ડિફોલ્ટરોને નોટિસો પાઠવવામાં આવી છે.
રાજયભરની જિલ્લા કલેકટર દ્વારા આટલી મોટી રકમ માટે 400 કેસોની સુનાવણી પ્રથમ વખત થઇ રહી છે. અમદાવાદ શહેર તેમજ જિલ્લામાં જુદી-જુદી બેંકો પાસે મિલકતો સામે લોન મેળવી બાદમાં કરોડોની લેણી રકમ ચઢવા છતાં નાણાં નહીં આપી ડિફોલ્ટર જાહેર થયેલી અનેક કંપનીઓ દ્વારા બેંકોમાં ગીરો મૂકાયેલી મિલકતો સરફેસી એક્ટ હેઠળ તેને જપ્ત કરવામાં આવે છે.
જે બાદ બેંકો દ્વારા આ મિલકતોની જાહેર હરાજી દ્વારા તેમાંથી બેંકોની બાકી લેણી વસૂલાત કરવામાં આવે છે. આ રીતે એનપીએ થયેલી કરોડોની અસ્ક્યામતોને કાયદાકીય જોગવાઇ અનુસાર ડિફોલ્ટરને કુદરતી ન્યાયના સિદ્ધાંત પ્રમાણે સાંભળવાની એક તક આપી તેમની મિલકતો ટાંચમાં લેવાની કલેક્ટર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
જિલ્લા કલેક્ટર દ્વારા એનપીએ જાહેર થયેલી મિલકતોને ટાંચમાં લેવા માટે સરફેસી એક્ટ હેઠળ બેંક તેમજ લોનધારકને નોટિસ પાઠવી છે. બંનેને આ મામલે સાંભળવામાં આવશે. તેમજ તેને આધારે જે મિલકતો બેંકમાં લોન માટે મૂકવામાં આવી હશે તે મિલકતને ટાંચમાં લેવાની કામગીરી હાથ ધરવામાં આવશે. જે માટે આવતીકાલે સુનાવણી હાથ ધરાશે.