કોરોના વાઇરસની દહેશત ચારેય દિશામાં ફેલાયેલી છે ત્યારે દારૂિડયાઓને પકડવા માટે પોલીસ ટેન્શનમાં આવી ગઇ છે. નાતાલના પર્વમાં લોકો દારૂની પાર્ટી કરતા હોય છે, તેમને પકડવા માટે પોલીસ પાસે બ્રેથ એનેલાઇઝર છે, પરંતુ કોરોનાનો ચેપ બીજાને લાગે નહીં તે માટે પોલીસ આ વખતે બ્રેથ એનેલાઇઝરનો ઉપયોગ કરવાની નથી ત્યારે કોઇ દારૂિડયાનાં મોઢાં પણ સૂંઘવાની નથી ત્યારે હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે દારૂડિયાઓને કેવી રીતે પકડવા.
નવા વર્ષની ઉજવણીની ૩૧મી ડિસેમ્બરની પાર્ટીને લઇ પોલીસ તૈયારી હાથ ધરી દેતી હોય છે અને દસ હજારથી વધુ પોલીસ શહેરના રસ્તા પર તહેનાત કરી દેવામાં આવતા હોય છે, પરંતુ કોરોના વાઇરસના કારણે ૩૧મી ડિસેમ્બરની પાર્ટી પર પૂર્ણવિરામ મુકાઇ ગયું છે. રાતના નવ વાગ્યાથી સખત કરફ્યુ રહેશે, જે બીજા દિવસે સવારના છ વાગ્યા સુધી ચાલશે એટલે કે ર૦ર૧ને આવકારવા માટે કોઇ પાર્ટી અમદાવાદમાં થશે નહીં.
પોલીસે રાત્રિનો કરફ્યુ લગાવી દીધો છે, જેમાં ઠેરઠેર પોલીસ બંદોબસ્ત રહેશે. જો કોઇ વ્યકિત મેડિકલ ઇમર્જન્સી વગર બહાર નીકળશે તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તો બીજી તરફ પોલીસ સમક્ષ એક સવાલ ઊભો થયો છે કે કોરોનાકાળમાં દારૂિડયાઓને કેવી રીતે પકડવા.
પોલીસ કર્મચારીઓ પણ કોરોનાથી સંક્રિમત થયા છે, જ્યારે કેટલાક પોલીસ કર્મચારીઓનાં મોત પણ થયાં છે. મોડી રાતે દારૂ ઢીંચીને નીકળનાર દારૂડિયાઓને પકડવા પોલીસ પાસે બ્રેથ એનેલાઇઝર પૂરતા પ્રમાણમાં છે, પરંતુ કોરોના વાઇરસનો ચેપ બીજાને લાગે તેના ડરથી બ્રેથ એનેલાઇઝરનો ઉપયોગ કરવાનો નથી. પોલીસ દારૂડિયાઓનાં મોઢાં સૂંઘીને પણ દારૂ પીધો છે કે નહીં તેની ખાતરી કરતી હોય છે, પરંતુ પોલીસ કમિશનરે તાજેતરમાં કોઇનાં મોઢાં સૂંઘવા નહીં તેવાે આદેશ આપ્યાે હતાે.
હવે ૩૧ ડિસેમ્બરના રોજ પોલીસ દારૂડિયાઓને કેવી રીતે પકડશે તે એક પ્રશ્ન ઊભો થયો છે. જ્યાં પાર્ટી ચાલતી હશે ત્યાં પોલીસ બાતમીના આધારે રેડ કરશે અને દારૂની બોટલોના આધારે મહેિફલમાં બેઠેલા લોકોને ઝડપી પાડવામાં આવશે અને ત્યારબાદ તેમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે.
હાલ શહેરનાં તમામ પોલીસ સ્ટેશનમાં દસ કરતાં વધુ બ્રેથ એનેલાઇઝર છે, પરંતુ કોરોના વાઇરસના કારણે તેનો ઉપયોગ લઇ શકાતો નથી. બ્રેથ એનેલાઇઝર દારૂડિયાના મોઢામાં નાખીને ચેકિંગ કરાતું હોવાથી તે વધુ જોખમી બને છે.
પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર હવે દારૂડિયાઓનાં મોઢાં સૂંઘવાનાં નથી, પરંતુ જો કોઇ વ્યકિતની હરકત દારૂડિયા જેવી લાગતી હોય અથવા તો મોઢું સૂંઘ્યા વગર દૂરથી દારૂની તીવ્ર વાસ મારતી હોય તો જ તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે. કોરોના વાઇરસ પોલીસ માટે માથાનો દુખાવો સાબિત થયો છે, કારણ કે બ્રેથ એનેલાઇઝર હોવા છતાંય તે તેનો ઉપયોગ કરી શકતી નથી.