અમદાવાદના નારોલ વિસ્તારમાં ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે 3થી 4 ફેક્ટરીઓમાં આગ લાગતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગતા 2 ફેક્ટરીઓ બળીને ખાખ થઈ છે. આ ઘટનાની જાણ થતા 25થી વધારે ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ આગ લાગવાનુ કારણ અકબંધ છે.
આ ઘટનાની મળતી વિગત પ્રમાણે અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલા ન્યુ ડેનીમ કંપની પાસે આવેલા હુક્કાબાર એસ્ટેડમાં આજરોજ અચાનક આગ લાગી હતી. જોત જોતામાં આગે ટુંક સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. તેમજ ખુબજ મોટા પ્રમાણમાં ધુમાડા દેખાતા હતા.
આગનું સ્વરૂપ વધુ હોવાના કારણે તેમજ આજે હવાનું વહેણ વધુ હોવાના કારણોસર આસપાસમાં આવેલ ૩ ફેકટરીઓ પણ આગની જપેટમાં આવી ગઈ હતી. તેમજ ઘટના સ્થળે ફાયર બ્રિગેટની ૨૫ જેટલી ગાડીઓએ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવાની કામગીરી તજવીજ કરી હતી.