અમદાવાદમાં દિવાળીના તહેવારને લઇને AMCએ મોટો નિર્ણય લીધો છે. 27 વિસ્તારમાં ખાણીપીણીના સ્થળોને 12 વાગ્યા સુધી ખુલ્લા રાખવા પરવાનગી અપાઇ છે. મહત્વનું છે કે, સપ્ટેમ્બર મહિનાના અંતમાં કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદ શહેરના 27 વિસ્તારોમાં દુકાનોને રાત્રિના 10 વાગ્યા સુધી જ ખુલ્લી રાખવા આદેશ અપાયા હતા.
દિવાળીના તહેવારને લઇને AMCનો નિર્ણય
27 ખાણીપીણીના સ્થળોને ખુલ્લા રાખવા પરવાનગી
12 વાગ્યા સુધી ખુલ્લી રાખવા પરવાનગી
અમદાવાદ શહેરના 27 વિસ્તારોમાં રાત્રિના 12 વાગ્યા સુધી હવે ખાણીપીણીની દુકાનો ખુલ્લી રાખી શકાશે. ભીડ એકઠી થતી હોવાથી 10 વાગે સુધીની પરવાનગી હતી. કોરોના કારણે 10 વાગે સુધી ખુલ્લી રાખવાનો નિર્ણય લેવાયો હતો. જેમાં SG હાઇ-વે, પ્રહલાદનગર, વસ્ત્રાપુર, સિંધુભવન સહિતના 27 સ્થળો હતા.
આ વિસ્તારોમાં પણ હવે રાત્રિના 12 વાગ્યા સુધી ખુલ્લી રહેશે ખાણીપીણીની દુકાનો
SG હાઇવે
સિંધુભવન રોડ
પ્રહલાદનગર રોડ
YMCAથી કાકે દા ઢાબા
પ્રહલાદનગરથી પેલેડિયમ સર્કલ
બુટભવાની મંદિરથી આનંદનગર રોડ
ઈસ્કોન ચારરસ્તાથી શપથ-4.5 સર્વિસ રોડ
બોપલ આંબલી રોડ
ઈસ્કોન આંબલી રોડથી હેબતપુર વચ્ચેનો વિસ્તાર
સાયન્સ સીટી રોડ
શીલજ સર્કલથી સાયન્સસીટી સર્કલ સુધી 200 ફુટનો રીંગ રોડ
આંબલી સર્કલથી વૈષ્ણોદેવી સર્કલ સુધી 200 ફુટનો રીંગરોડ