મહાનગરોમાં આજ કાલ બહુમાળી ઈમારતોમાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો થતો જાય છે. થોડા સમય પહેલા સુરતમાં ટયુશન ક્લાસિસમાં લાગેલી આગે બહુમાળી ઈમારતોમાં રહેતા લોકોમાં જે ભય પેદા કર્યો હતો તે ભય ફરી પાછો આજે તાજો થઈ ગયો છે. અમદાવાદના જગતપૂર પાસે આવેલા ગણેશ જિનેસિસ ફ્લેટના પાંચમાં માળે આગ લાગતાં ફ્લેટમાં રહેતા લોકોના જીવ પડીકે બંધાઈ ગયા હતાં.
ગીચ બનતા જતા શહેરોમાં માત્ર ટ્રાફિક સમસ્યાઓ જ પરેશાન કરતી હોય છે તેવું નથી. અહીં ગગનચુંબી ઈમારતો પર પણ કોઈને કોઈ હોનારતનો ભય સતત ઝળુંબતો રહે છે. સુરતમાં ટયુશન ક્લાસિસમાં લાગેલી આગથી બહુમાળી ઈમારતો રહેતા નાગરિકોમાં જે ભય ફેલાયો હતો તેણે આજે અમદાવાદ (ahmedabad) માં જગતપુર પાસેના ગણેશ જિનેસિસ (Ganesh Genesis) ફ્લેટમાં લાગેલી આગે તાજો કરી દીધો છે. ત્યારે જોઈએ આ અહેવાલ.
મહાનગરોમાં આજ કાલ બહુમાળી ઈમારતોમાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો થતો જાય છે. થોડા સમય પહેલા સુરતમાં ટયુશન ક્લાસિસમાં લાગેલી આગે બહુમાળી ઈમારતોમાં રહેતા લોકોમાં જે ભય પેદા કર્યો હતો તે ભય ફરી પાછો આજે તાજો થઈ ગયો છે. અમદાવાદના જગતપૂર પાસે આવેલા ગણેશ જિનેસિસ ફ્લેટના પાંચમાં માળે આગ લાગતાં ફ્લેટમાં રહેતા લોકોના જીવ પડીકે બંધાઈ ગયા હતાં.
પાંચમાં માળે લાગેલી આગની જ્વાળા વિકરાળ બની છઠ્ઠા અને ત્યાર બાદ સાતમાં માળ સુધી પહોંચી ગઈ. ત્યારે આ આગથી બચવા લોકોમાં ખૂબ દોડધામ મચી ગઈ હતી. આગમાં ફસાયેલા લોકો પોતાનો જીવ બચાવવા સંઘર્ષ કરી રહ્યાં હતા અને ફાયર વિભાગની મદદ માગી રહ્યાં હતાં. તો ફાયર વિભાગની મદદ મળે ત્યાં સુધી સ્થાનિક લોકોએ આગમાં ફસાયેલા લોકોને બચાવવા માટે કવાયત કરવી પડી હતી. આ ઈમારતમાં લાગેલી આગમાં 25 જેટલા લોકોને નાની-મોટી ઈજાઓ થઈ છે અને સાતમાં માળે રહેતી એક મહિલાનું મોત થયું છે.
માત્ર આ એક બેદરકારીએ સર્જી હોનારતઃ
અમદાવાદના ગણેશ જેનેસિસમાં લાગેલી આગનું એક કારણ સામે આવ્યું છે. આ કારણ અફરાતફરીથી લેવાયેલો નિર્ણય કહો કે પછી અજ્ઞાનવશ બેદરકારીનું પરિણામ કહો. પાંચમાં માળે આવેલા એક ફ્લેટના સ્વીચ બોર્ડમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. આ આગને ઓલવવા માટે મહિલાએ સ્વીચ બોર્ડ પર પાણીનો છંટકાવ કર્યો હતો. પાણીનો છંટકાવ કરતા સ્વીચ બોર્ડમાં ભડાકો થયો હતો અને વધુ આગ પ્રસરતાં તેના પર ધાબળો નાખી કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે આગ વધારે ઉગ્ર બની હતી અને ધાબળો પણ સળગવા લાગ્યો હતો.
ઘરમાં ફર્નિચરમાં આગ લાગતા આગ વિકરાળ બની હતી. ફર્નિચરમાં લાગેલી આગને કારણે ઘરનો તમામ સામાન બળીને ખાખ થયો હતો અને પછી સમગ્ર એપાર્ટમેન્ટમાં આગ ફેલાઈ હતી. એક સામાન્ય અજ્ઞાન કેટલું નુકસાન કરાવે છે તેણે આ વાત પરથી સાબિત કરી દીધું છે. એક નાનકડી ભૂલ કે બેદરકારીનો કેટલા વ્યક્તિએ ભોગ બનવો પડે છે તે વાત અહીં સમજાય તેવી છે.
તમને જાણીને નવાઈ લાગશે કે આ બિલ્ડીંગમાં જેણે ફાયર સેફ્ટીનું કામ કર્યું હતું અને જેઓ ફાયરસેફ્ટીના જાણકાર હતા તેમના ઘરમાં જ આગ લાગી હતી. જેને ઓલવવામાં થોડી બેદરકારીના કારણે તબાહીના આ દ્રશ્યો સર્જાયા હતાં. તો બીજી તરફ આ આગમાં એક પોલીસકર્મી દેવદૂત બનીને આવ્યો અને આગમાં ફસાયેલા 7 લોકોના જીવ બચાવ્યા. પોલીસકર્મી પોતાની જીવની પરવા કર્યા વિના આગમાં કૂદી ગયો અને જીવના જોખમે ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતાં.
સ્નોરેકલ બંધ થતાં લોકોને જીવના જોખમે રેસક્યું:
ગણેશ જેનિસિસમાં સર્જાયેલા આગના તાંડવ વચ્ચે જ્યાં એક તરફ એનડીઆરએફ અને ફાયરબ્રિગ્રેડના જવાનો રહીશોને બચાવવામાં વ્યસ્ત હતા ત્યાં સ્થાનિક લોકો પણ આ રેસ્ક્યૂ ઓપરેશમાં સાથ આપી રહ્યાં હતાં. તો આ તરફ આગ કાબૂમાં આવ્યા બાદ કૂલિંગની કામગીરી કરવામાં આવી હતી. પરંતુ બચાવ કામગીરી દરમિયાન ટેક્નિકલ ખામી થતા ફાયરનું સ્નોરેકલ બંધ થઈ ગયું હતું. ત્યાર બાદ સ્નોરેકલ ચાલુ કરવા માટે ચાર વાર પ્રયત્નો કર્યા હોવા છતાં સ્નોરેકલ ચાલુ થયું ન હોતું.
સ્નોરેકલ કામ ન કરતા ફાયરની ટીમે લોકોને બચાવવાની જાળી, પાણીની પાઇપ અને દોરડા બાંધીને લોકોને જીવના જોખમે નીચે ઉતારવા પડ્યા હતાં. આ આગ વખતે જેની પાસે મદદની આશા હોય છે તેના સાધનો ખરા સમયે દગો દઈ દે છે તેણે સુરત બાદ આ વખતે પણ સાબિત કરી દીધું છે. સુરત વખતે ફાયર પાસે સીડી જ ન હતી. અહીં સીડી હતી તો સ્નોરેકલે સાથ ન આપ્યો.
આગ અને પાણીજન્ય આપત્તિ એ બે એવી આપત્તિ છે જે ગરીબ અમીરનો ભેદ પારખતી નથી. ચોમાસામાં ચાલીઓમાં પાણી ભરાઈ જાય છે તો ઊંચી ઈમારતો આગને હવાલે થવાનો ભય પણ સતત ઝળુંબતો હોય છે. ત્યારે મોર્ડન કહેવાતા આપણે આ આપત્તિ ન સર્જાય તેટવી વ્યક્તિગત જાગૃતિ રાખ્યા સિવાય છૂટકો નથી. કેમ કે, ફાયરબ્રિગેડના સાધનો પણ ગમે ત્યારે દગો દઈ શકે છે.