અમદાવાદઃ અહેમદ પટેલનું કોંગ્રેસમાં કદ વધ્યું છે. હવે અહેમદ પટેલ કોંગ્રેસ પાર્ટીના નવા ખજાનચી બનાવાયા. અહેમદ પટેલ મોતીલાલ વોરાનું સ્થાન લેશે અને ખજાનચી બન્યા છે. ઉલ્લેખનીય છે કે અહેમદ પટેલને કોંગ્રેસમાંથી ગાંધી પરિવાર બાદ શક્તિશાળી નેતા માનવામાં આવે છે અને તેઓ મોટાભાગે દિલ્હીમાં જ રહે છે અથવા તો પછી પોતાના ગામ પીરામણમાં રહે છે.
મહત્વનું છે કે કોંગ્રેસના શક્તિશાળી નેતા અને રાજ્ય સભાના સાંસદ અહેમદ પટેલની કોંગ્રેસ પાર્ટીના નવા ખજાનચી તરીકે નિયુક્તી કરવામાં આવી છે. અહેમદ પટેલ હવે મોતીલાલ વોરાનું સ્થાન લેશે. કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ રાહુલ ગાંધી દ્વારા પક્ષના સંગઠનમાં કેટલાક ફેરફાર કર્યો છે. જેમાં અહેમદ પટેલને પાર્ટીના નવા ખજાનચી બનાવવામાં આવ્યા છે.
Ahmed Patel will be the new treasurer of Congress party he will replace Motilal Vora. Anand Sharma to be Chairman of Congress Foreign Cell: Sources pic.twitter.com/0ljGjuDgj0
અહેમદ પટેલને ખજાનચી બનાવાતા ગુજરાત કોંગ્રેસમાં ખુશીનો માહોલ છવાયો છે. જો કે અહેમદ પટેલનો આજે જન્મ દિવસ છે ત્યારે તેમને પક્ષ તરફથી આ મોટી ભેટ આપવામાં આવી છે.