કોંગ્રેસ પાર્ટી અને 10 જનપથના ચાણક્ય મનાતા સીનિયર નેતા અહેમદ પટેલનું બુધવારે સવારે કોરોનાને કારણે મોત નિપજ્યું છે. અહેમદ પટેલે 1976માં મેમૂના અહમદ સાથે લગ્ન કર્યા હતા. તેઓ મેમૂના પટેલ, દીકરા ફૈસલ પટેલ અને દીકરી મુમતાઝ પટેલને નિરાધાર છોડીને દુનિયામાંથી વિદાય લીધી છે. પટેલનો પરિવાર રાજનીતિથી હાલ દૂર છે. જાણો તેમના સંતાનો શું કરે છે.
ફૈસલ જિઓન ડિસ્ટ્રિબ્યૂશનના નામથી પોતાનું વેન્ચર પણ શરુ કર્યુ
દીકરીના લગ્ન આ બિઝનેસમેન સાથે થયા છે
એક ફ્રોડ કેસમાં ઈડીએ ઈરફાનની વિરુદ્ધ પગલા ભર્યા હતા
દીકરો ફૈસલ એન્ત્રપ્રિન્યોર છે, તે હાલ
અહેમદ પટેલના દીકરા ફૈસલ પટેલ 39 વર્ષના છે. તેઓ બિઝનેસ એન્ત્રપ્રિન્યોર છે. મૂળ રુપે તે હેલ્થકેર, એજ્યુકેશન અને ટેક્નોલોજિકલ સેક્ટરમાં પરિવર્તન લાવવાની દિશામાં કામ કરવા માંગે છે. તેમણે દહેરાદૂનના દૂન પબ્લિક સ્કૂલની હાઈસ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. અમેરિકામાં હવાઈ પેસિફિક યુનિવર્સીટીમાં તેમણે બીબીએની ડિગ્રી લીધી છે. ફૈસલ જિઓન ડિસ્ટ્રિબ્યૂશનના નામથી પોતાનું વેન્ચર પણ શરુ કર્યુ છે.
દીકરીના લગ્ન આ બિઝનેસમેન સાથે થયા છે
પટેલની દીકરી મુમતાઝ પટેલના લગ્ન બિઝનેસ મેન ઈરફાન સિદ્દિકી સાથે થયા છે. હાલમાં ઈડીએ અહેમદ પટેલના જમાઈ ઈરફાન સિદ્ધિકીના ઘરે અને ઓફિસ પર રેડ પાડી હતી. ગુજરાતના ફાર્માસ્યૂટિકલ ફર્મ અને સ્ટર્લિંગ બાયોટેકના એક ફ્રોડ કેસમાં ઈડીએ ઈરફાનની વિરુદ્ધ પગલા ભર્યા હતા. મની લોન્ડ્રિંગ કેસમાં ઈરફાન સિદ્દિકીએ હાલમાં જ નવી દિલ્હીમાં ઈડી ઓફિસમાં નિવેદન નોંધાવ્યું હતું.
કોંગ્રેસમાં ‘ગાંધીઓ’ બાદ નંબર 2 પર હતા
અહેમદ પટેલ ગાંધી પરિવારના સૌથી નજીક અને ગાંધીઓ બાદ નંબર 2 પર માનવામાં આવી રહ્યા હતા. ઘણા પ્રભાવશાળી અસરવાળા અહેમદ પટેલ લો પ્રોફાઈલ રાખતા હતા. સાઈલેન્ટ અને દરેક માટે સિક્રેટિવ હતા. રાજનીતિથી દુર તેમણે ઘણી સાદગીથી પારિવારીક જીવન વિતાવવું પસંદ હતું.
પટેલે પ્રયાસ કરતા કે દિલ્હી અને દેશની મીડિયા તેમની પ્રોફાઈલ ન હોય. તે ટીવી ચેનલ પર નહોતા દેખાતા પરંતુ તેના પર તેમનો કન્ટ્રોલ કરવાનો આરોપ લાગતો હતો. ગાંધી પરિવાર અને પ્રધાનમંત્રીઓને સતત મળતા રહેતા હોવા છતા તેમની તસ્વીરો બહું ઓછી છે.
3 વખત લોકસભા સાંસદ અને 5 વખત રાજ્યસભાના સાંસદ રહ્યાં
ગુજરાત ભરુચ જિલ્લાના અંકલેશ્વરમાં જન્મેલા અહેમદ પટેલ ત્રણ વખત (1977, 1980, 1984) લોકસભા સાંસદ અને પાંચ વખત (1993, 1999, 2005, 2011, 2017 વર્તમાન સુધી) રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા હતા. અહેમદ પટેલે પહેલી વખત 1977માં ભરુચથી ચૂંટણી લડ્યા હતા. જેમાં તેઓ 62,879 મતથી જીત્યા. આ સિવાય 1977થી 1982 સુધીમાં અહેમદ પટેલ ગુજરાત યુથ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ રહ્યાં. સપ્ટેમ્બર 1983થી ડિસેમ્બર 1984 સુધી તેઓ ઓલ ઇંડિયા કોંગ્રેસ કમિટિના જોઇન્ટ સેક્રેટરી રહ્યાં. 1985માં જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી તેઓ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના સંસદીય સચિવ રહ્યાં. સપ્ટેમ્બર 1985થી જાન્યુઆરી 1986 સુધી અહેમદ પટેલ ઓલ ઇંડિયા કોંગ્રેસ કમિટિના જનરલ સેક્રેટરી રહ્યા. કોંગ્રેસના તાલુકા પંચાયત અધ્યક્ષથી રાજકીય સફર શરુકરનારા અહેમદ પટેલ જાન્યુઆરી 1986માં ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ બન્યાં. જે ઓક્ટોબર 1988 સુધી રહ્યાં. 1991માં જ્યારે નરસિંહરાવ પ્રધાનમંત્રી બન્યા, ત્યારે તેઓ કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય બની ગયા, જે અત્યાર સુધી રહ્યાં હતા. 1996માં અહેમદ પટેલ ઓલ ઇંડિયા કોંગ્રેસ કમિટિના કોષાધ્યક્ષ બનાવામાં આવ્યાં હતા. તે સમયે સીતારામ કેસરી કોંગ્રેસના અધ્યક્ષ હતા. જો કે 2000માં સોનિયા ગાંધીના અંગત સચિવ વી જ્યોર્જ સાથે અણબનાવ થયા બાદ તે પદ છોડી દીધુ હતું અને પછીના વર્ષે સોનિયા ગાંધીના સલાહકાર બની ગયા હતા.
1977માં કોંગ્રેસની સાખ બચાવી
અહેમદ પટેલે ઇંદિરા ગાંધીના સમયથી કોંગ્રેસમાં હતા. 1977માં ચૂંટણીમાં જ્યારે ઇંદિરા ગાંધીને તખ્તો પલટવાની આશંકા હતી, ત્યારે આ અહેમદ પટેલ જ હતા કે જેઓએ પોતાની વિધાનસભા સીટ પર બેઠક આોજીત કરી રાજી કરીલીધા હતા. 1977માં જ્યારે ચૂંટણીમાં કોંગ્રેસને પરાજયનો સામનો કરવો પડ્યો ત્યારે ગુજરાતમાં માત્ર થોડા નેતાઓમાંથી એક અહેમદ પટેલ એવા હતા જે સંસદ પહોંચ્યા હતા. 1980ની ચૂંટણીમાં જ્યારે કોંગ્રેસે વાપસી કરી ત્યારે ઇંદિરા ગાંધીએ અહેમદ પટેલની કેબિનેટમાં સામેલ કરવાની ઇચ્છા, ત્યારે તેમણે સંગઠનના કામને પ્રાથમિકતા આપી.