PM મોદીએ અહેમદ પટેલના નિધનને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. તેઓએ આ સમયે તેમના દીકરા ફૈસલ પટેલ સાથે પણ વાત કરીને સંવેદના પ્રકટ કરી છે. તેઓએ કહ્યું કે હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે અહેમદ ભાઈની આત્માને શાંતિ મળે.
કોંગ્રેસ નેતા અહેમદ પટેલનું નિધન
PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
દીકરા ફૈસલ પટેલ સાથે કરી ફોન પર વાત
PM મોદીએ કોંગ્રેસ નેતા અહેમદ પટેલના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. PM મોદીએ ટ્વિટ કરીને કહ્યું છે કે અહેમદ પટેલના નિધનથી તેઓ દુઃખી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે તેઓએ સમાજની સેવા કરવામાં અનેક વર્ષો પસાર કર્યા છે.
Saddened by the demise of Ahmed Patel Ji. He spent years in public life, serving society. Known for his sharp mind, his role in strengthening the Congress Party would always be remembered. Spoke to his son Faisal and expressed condolences. May Ahmed Bhai’s soul rest in peace.
પીએમ મોદીએ કહ્યું કે શાર્પ મગજ વાળા અહેમદ પટેલને કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવા માટે યાદ રખાશે. મેં તેમના દીકરા ફૈસલ સાથે વાત કરી છે અને સંવેદના પ્રગટ કરી છે. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે અહેમદભાઈની આત્માને શાંતિ મળે.
Congress veteran Ahmed Patel passes away following COVID complications
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા અહેમદ પટેલનું 71 વર્ષની ઉંમરે બુધવારે વહેલી સવારે 3.30 વાગે નિધન થયું છે. આ જાણકારી તેમના દીકરા ફૈસલ પટેલે આપી છે. અહેમદ પટેલની તબિયત બગડતાં તેમને થોડા દિવસ અગાઉ મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેઓ ઓક્ટોબરના પહેલાં અઠવાડિયામાં કોરોના સંક્રમિત પણ થયા હતા.