અહેમદ પટેલના નિધન પર જયરાજસિંહ પરમારે વ્યક્ત દુઃખ કર્યુ છે. અહેમદ પટેલની ખોટ ગુજરાત અને દેશને પડશે. ભૂકંપ સમયે અહેમદ પટેલની ઉમદા કામગીરી હતી. અહેમદ પટેલના કાર્યોને હંમેશા યાદ રખાશે. આટલું બોલતા બોલતા જયરાજસિંહ રડી પડ્યા હતા.
રોહન ગુપ્તા ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા
અહેમદ પટેલના નિધનથી કોંગ્રેસમાં શોકનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અહેમદ પટેલના નિધન પર બોલતા રોહન ગુપ્તા રડી પડ્યા હતા. તે ઓન કેમેરા જ પોતાની જાતને રોકી શક્યા નહતા અને ધ્રુસકેને ધ્રુસકે રજી પડ્યા હતા તેમણે જણાવ્યું હતુ કે, અહેમદ પટેલના નિધનના સ્વીકારવું મુશ્કેલ છે. તેમના વિચારો પર ચાલીને લોકોની સેવા કરીશું.
ભરતસિંહ સોલંકીની આંખો પણ છલકાઈ
અહેમદ પટેલના નિધન પર ભરતસિંહ સોલંકીએ વ્યક્ત કર્યુ દુ:ખ. કોંગ્રેસને મજબૂત કરવાનું કામ અહેમદભાઈ કર્યુ છે. અહેમદભાઈના નિધનથી હું દુ:ખી છું. નાનામાં નાના કાર્યકારનો અવાજ અને ફરિયાદ તેઓ સાંભળતા કુદરતી આફત કે અન્ય મુસીબતો માં લોકોને ઉપયોગી નીવડ્યા છો. મને કોરોના થયો ત્યારે તેઓ સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન આપતા હતા. લાંબા સમય સુધી અહંકાર થી દુર રહી સત્તાના સેન્ટર માં કામ કર્યું છે. સૌને સાથે રાખવાના પ્રયાસમાં લોકો અહમદ પટેલને હંમેશા યાદ રાખશે. ભગવાનને પ્રાર્થના કરું છું કે આવું વિરલ વ્યક્તિત્વ ફરીવાર સમાજને આપે.
અહેમદ પટેલના નિધન પર અમિત ચાવડાએ વ્યક્ત કર્યું દુઃખ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ આપણી વચ્ચે નથી રહ્યાં. અહેમદ પટેલે રાજનીતિથી ઉપર ઉઠીને કામ કર્યું છે. લોકો સાથે પરિવાર જેવો સંબંધ બનાવ્યો હતો. ગુજરાતના વિકાસ માટે હંમેશા તેમણે કામ કર્યું. લોકો અને સમાજને મદદ કરવા માટે કામ કર્યું છે. દેશમાં એકતા અને અખંડિતતા માટે કામ કર્યું છે. કોરોના કાળમાં પણ લોકોને મદદ માટે કામ કર્યું છે.
હાર્દિક પટેલ પણ ગળગળા થઈ ગયા
અહેમદ પટેલના નિધનથી ગુજરાત કોંગ્રેસમાં શોકનો માહોલ છે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે વ્યક્ત દુ:ખ કર્યું છે. ભગવાન તેમના પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. અહેમદ પટેલના વિચારોથી આગળ પાર્ટી ચાલશે તેમ કહીને હાર્દિક પટેલ પણ ગળગળા થઈ ગયા હતા.
શું કહ્યું શંકરસિંહ વાઘેલાએ?
અહેમદ પટેલના નિધનથી શંકરસિંહ વાઘેલાએ દુઃખ વ્યક્ત કર્યું. 42 વર્ષ જુના મારા મિત્રનું નિધન થયું છે. અહેમદ પટેલ પાર્ટી માટે જીવન જીવ્યા છે. પાર્ટીને પાટા પર લાવવા માટે કામ કરતા હતા. ક્યારેય ન પુરાય તેવી ખોટ પડી છે. રાષ્ટ્રપતિ બની શક્યા હોત છતાં સત્તાથી દુર રહ્યા. અમને ખભે લેનારને ખભો આપવો પડે તે દુઃખદ. કાયમ સુખ-દુઃખમાં ભાગીદાર રહેતા હતા. 1977 થી પાર્લામેન્ટ થી સાથે સંબંધ હતા. દિલ્હીમાં પણ સાથે મુલાકાત કરતા હતા. સમસ્યાઓનું સોલ્યુશન હતા અહેમદ પટેલ. સોનિયા, રાજીવ ગાંધી માટે હંમેશા સાથે રહેતા હતા. ગુજરાત માટે હંમેશા કામ કરતા હતા. સતત કામ કરતા હતા અને લો પ્રોફાઈલ રહેતા હતા. તમામ પક્ષો ને રાષ્ટ્રીય કક્ષાએ ખોટ પડી છે.
ભાજપ પ્રમુખ C R Patil પણ દુખ વ્યક્ત કર્યુ
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું હતુ કે, કોંગ્રેસને મોટી ખોટ પડશે. ગુજરાતમાં પણ અહેમદ પટેલનું મોટુ યોગદાન છે. ગુજરાતને પણ અહેમદ પટેલના નિધનથી મોટી ખોટ પડશે. લોકો માટે અહેમદ પટેલે હંમેશા કામ કર્યું છે. એક નાના પદથી તેઓ કોંગ્રેસમાં મોટા હોદ્દે પહોંચ્યા હતા. સેવાકીય પ્રવૃતિ માટે હંમેશા તેમને યાદ કરાશે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના છે.
CM રૂપાણીએ ટ્વીટ કરી વ્યક્ત કર્યો શોક
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ શ્રી અહેમદભાઈ પટેલના દુઃખદ અવસાનથી શોકમગ્ન છું. કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવામાં તેમની ભૂમિકા અને તેમના સામાજીક કાર્યો હંમેશા યાદ રહેશે. પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે અને પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રાર્થના.
Pm Modi એ કહ્યું કોંગ્રેસના `ચાણક્ય'ની વિદાય
અહેમદ પટેલના નિધનથી દુ:ખી છું. જાહેર જીવનમાં તેઓ વર્ષોના અનુભવી હતા, પોતાના તેજ દિમાગ માટે તેઓ જાણીતા હતા. કોંગ્રેસને મજબૂત કરવામાં તેમનો ફાળો હંમેશા યાદ રહેશે. તેમના દીકરા સાથે વાત કરી અને પરિવારને આશ્વાસન આપ્યું. અહેમદભાઈના આત્માને ભગવાન શાંતિ અર્પે.
શું કહ્યું સોનિયા ગાંધીએ?
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી એ જણાવ્યું હતુ કે, મેં એક એવો સાથી ગુમાવ્યો કે જેની સમગ્ર જિંદગી કોંગ્રેસને સમર્પિત હતી. એક વિશ્વાસુ સાથી, મિત્ર અને કયારેય ખોટ ન પૂરાય તેવા માર્ગદર્શક મેં ગુમાવ્યા છે.. એમના પરિવાર માટે દુ:ખ અનુભવું છું અને તેમને સાંત્વના પાઠવું છું
રાહુલ ગાંધીએ વ્યક્ત કર્યુ દુખ
કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના નિધન પર રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું કે, આ દુ:ખદ દિવસ છે. અહેમદ પટેલ કોંગ્રેસના સ્તંભ હતા. મુશ્કેલીના દિવસોમાં તેઓ કોંગ્રેસની પડખે ઉભા રહ્યા. તે કોંગ્રેસની કિંમતી અસ્કયામત હતા. અમને તેમની ખોટ વર્તાશે, ફૈસલ, મુમતાઝ અને પરિવારજનોને મારો પ્રેમ અને સાંત્વના.
અહેમદ પટેલની રાજકીય સફર
1976માં ભરૂચમાં તાલુકા પંચાયતના સભ્ય બન્યા
1977માં 26 વર્ષની વયે લોકસભાના સાંસદ બન્યા
1977થી 1982 સુધી ગુજરાત યુથ કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા
1983થી 1984 સુધી AICC જોઇન્ટ સેક્રેટરી રહ્યા
1985થી 1986 સુધી AICCમાં જનરલ સેક્રેટરી રહ્યા
1985માં પૂર્વ PM રાજીવ ગાંધીના સંસદિય સચિવ બન્યા
1986માં ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ બન્યા
1991માં કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં સ્થાન
1996માં AICCના કોષાધ્યક્ષ બન્યા
2000માં સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર બન્યા
2006માં વક્ફ સંયુક્ત સંસદીય સમિતીના સભ્ય રહ્યાં
ગુજરાત કોંગ્રેસ કમિટીના સૌથી યુવા અધ્યક્ષ બન્યા હતા
ગુજરાતમાંથી સાંસદ તરીકે ચૂંટાનાર બીજા મુસ્લિમ નેતા હતા