ગઈ કાલે કોંગ્રેસના નેતા અહેમદ પટેલનું નિધન થયું છે ત્યારે આજે તેમની દફનવિધી કરવામાં આવી હતી. જેમાં અશોક ગેહલોત અને કમલનાથ સહિતના કોંગી આગેવાનો જોડાયા હતા.
રાહુલ ગાંધી પહોંચ્યા પિરામણ
અંતિમ વિદાયની તૈયારીઓ શરૂ
શું હતી અહેમદ પટેલની અંતિમ ઈચ્છા?
હાલ શંકરસિંહ વાઘેલા, અર્જુન મોઢવિડિયા, શક્તિસિંહ ગોહિલ અને જયંતિ બોસ્કી પિરામણ ગામમાં પહોંચી ગયા હતા. આ ઉપરાંત કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડી.કે. શિવકુમાર પિરામણ અને કોંગ્રેસના નેતા મુકુલ વાસનિક સહિતના ટોચના નેતાઓ પિરામણ ગામમાં આવી પહોંચ્યા હતા.
શું હતી અહેમદ પટેલની અંતિમ ઈચ્છા?
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામના વતની કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનું નિધન થયું છે. તેમની ઇચ્છા હતી કે, તેમની દફનવિધિ પીરામણ ગામમાં માતા-પિતાની કબરની બાજુમાં કરવામાં આવે.
અંતિમ વિદાયની તૈયારીઓ શરૂ
અહેમદ પટેલના નિવાસ સ્થાન પાછળ કબ્રસ્તામાં તેમની દફનવિધી કરવાની સંભાવનાઓ સેવાઈ રહી છે. પીરામણ સુન્ની વ્હોરા કબ્રસ્તાન ખાતે દફનવિધીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. પીરામણ કબ્રસ્તાનની બાજુમાં હેલિપેડ ખાતે તૈયારીઓ શરૂ કરાઈ છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલનું નિધન થયું છે. ઘણાં સમયથી સારવાર ચાલી રહી હતી. 71 વર્ષની વયે તેમનું નિધન થયું છે. અહેમદ પટેલના દીકરાએ ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી છે. વહેલી સવારે 3:30 વાગે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. કોરોનાગ્રસ્ત થયા બાદ તબિયત વધુ લથડી હતી જેને પગલે મલ્ટીપલ ઓર્ગન ફેઈલ થતા તેમનું દુઃખદ અવસાન થયું છે.
અહેમદ પટેલના દીકરાએ ટ્વીટ કરીને આપી જાણકારી
અત્યંત દુઃખ અને અફસોસ સાથે જણાવું છું કે 25/11/2020 ના વહેલી સવારે 3.30 કલાકે મારા પિતા અહમદ પટેલનું દુઃખદ નિધન થયું છે. એક મહિના અગાઉ તેમનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરને કારણે તેમની તબિયત વધુ બગડી હતી. ઇલ્લાહ તેમને જન્નત નસીન કરે. ઇન્શાહ અલ્લાહ, હું તમામ શુભચિંતકોને આગ્રહ કરૂ છું કે કોરોના ગાઇડલાઇનનું પાલન કરો અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખે.
CM રૂપાણીએ ટ્વીટ કરી વ્યક્ત કર્યો શોક
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ શ્રી અહેમદભાઈ પટેલના દુઃખદ અવસાનથી શોકમગ્ન છું. કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવામાં તેમની ભૂમિકા અને તેમના સામાજીક કાર્યો હંમેશા યાદ રહેશે. પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે અને પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રાર્થના.
Pm Modi એ કહ્યું કોંગ્રેસના `ચાણક્ય'ની વિદાય
અહેમદ પટેલના નિધનથી દુ:ખી છું. જાહેર જીવનમાં તેઓ વર્ષોના અનુભવી હતા, પોતાના તેજ દિમાગ માટે તેઓ જાણીતા હતા. કોંગ્રેસને મજબૂત કરવામાં તેમનો ફાળો હંમેશા યાદ રહેશે. તેમના દીકરા સાથે વાત કરી અને પરિવારને આશ્વાસન આપ્યું. અહેમદભાઈના આત્માને ભગવાન શાંતિ અર્પે.
શું કહ્યું સોનિયા ગાંધીએ?
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી એ જણાવ્યું હતુ કે, મેં એક એવો સાથી ગુમાવ્યો કે જેની સમગ્ર જિંદગી કોંગ્રેસને સમર્પિત હતી. એક વિશ્વાસુ સાથી, મિત્ર અને કયારેય ખોટ ન પૂરાય તેવા માર્ગદર્શક મેં ગુમાવ્યા છે.. એમના પરિવાર માટે દુ:ખ અનુભવું છું અને તેમને સાંત્વના પાઠવું છું
રાહુલ ગાંધીએ વ્યક્ત કર્યુ દુખ
કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના નિધન પર રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું કે, આ દુ:ખદ દિવસ છે. અહેમદ પટેલ કોંગ્રેસના સ્તંભ હતા. મુશ્કેલીના દિવસોમાં તેઓ કોંગ્રેસની પડખે ઉભા રહ્યા. તે કોંગ્રેસની કિંમતી અસ્કયામત હતા. અમને તેમની ખોટ વર્તાશે, ફૈસલ, મુમતાઝ અને પરિવારજનોને મારો પ્રેમ અને સાંત્વના.
અહેમદ પટેલની રાજકીય સફર
1976માં ભરૂચમાં તાલુકા પંચાયતના સભ્ય બન્યા
1977માં 26 વર્ષની વયે લોકસભાના સાંસદ બન્યા
1977થી 1982 સુધી ગુજરાત યુથ કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા
1983થી 1984 સુધી AICC જોઇન્ટ સેક્રેટરી રહ્યા
1985થી 1986 સુધી AICCમાં જનરલ સેક્રેટરી રહ્યા
1985માં પૂર્વ PM રાજીવ ગાંધીના સંસદિય સચિવ બન્યા
1986માં ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ બન્યા
1991માં કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં સ્થાન
1996માં AICCના કોષાધ્યક્ષ બન્યા
2000માં સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર બન્યા
2006માં વક્ફ સંયુક્ત સંસદીય સમિતીના સભ્ય રહ્યાં
ગુજરાત કોંગ્રેસ કમિટીના સૌથી યુવા અધ્યક્ષ બન્યા હતા
ગુજરાતમાંથી સાંસદ તરીકે ચૂંટાનાર બીજા મુસ્લિમ નેતા હતા