કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલનું 71 વર્ષની વયે મેદાંતા હોસ્પિટલમાં નિધન થયું છે. અહેમદ પટેલ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર હતા. તેઓની કોરોનાને લઇને છેલ્લા ઘણા સમયથી સારવાર ચાલી રહી હતી. ત્યારે અહેમદ પટેલની રાજકીય સફરની વાત કરીએ તો ઇંદિરા ગાંધીથી લઇને સોનિયા સુધી ગાંધી પરિવારના એક મહત્વપૂર્પણ અને ભરોસાપાત્ર રહ્યાં.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલનું નિધન
સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર હતા અહેમદ પટેલ
ત્રણ વખત લોકસભા સાંસદ અને પાંચ વખત રાજ્યસભાના સાંસદ રહ્યાં
ગુજરાત ભરુચ જિલ્લાના અંકલેશ્વરમાં જન્મેલા અહેમદ પટેલ ત્રણ વખત (1977, 1980, 1984) લોકસભા સાંસદ અને પાંચ વખત (1993, 1999, 2005, 2011, 2017 વર્તમાન સુધી) રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા હતા. અહેમદ પટેલે પહેલી વખત 1977માં ભરુચથી ચૂંટણી લડ્યા હતા. જેમાં તેઓ 62,879 મતથી જીત્યા.
રાજકીય સફરઃ તાલુકા અધ્યક્ષથી પ્રદેશ અધ્યક્ષ સુધી
તે સિવાય 1977થી 1982 સુધીમાં અહેમદ પટેલ ગુજરાત યુથ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ રહ્યાં. સપ્ટેમ્બર 1983થી ડિસેમ્બર 1984 સુધી તેઓ ઓલ ઇંડિયા કોંગ્રેસ કમિટિના જોઇન્ટ સેક્રેટરી રહ્યાં. 1985માં જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી તેઓ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના સંસદીય સચિવ રહ્યાં.
સપ્ટેમ્બર 1985થી જાન્યુઆરી 1986 સુધી અહેમદ પટેલ ઓલ ઇંડિયા કોંગ્રેસ કમિટિના જનરલ સેક્રેટરી રહ્યા. કોંગ્રેસના તાલુકા પંચાયત અધ્યક્ષથી રાજકીય સફર શરુકરનારા અહેમદ પટેલ જાન્યુઆરી 1986માં ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ બન્યાં. જે ઓક્ટોબર 1988 સુધી રહ્યાં. 1991માં જ્યારે નરસિંહરાવ પ્રધાનમંત્રી બન્યા, ત્યારે તેઓ કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય બની ગયા, જે અત્યાર સુધી રહ્યાં હતા.
1996માં અહેમદ પટેલ ઓલ ઇંડિયા કોંગ્રેસ કમિટિના કોષાધ્યક્ષ બનાવામાં આવ્યાં હતા. તે સમયે સીતારામ કેસરી કોંગ્રેસના અધ્યક્ષ હતા. જો કે 2000માં સોનિયા ગાંધીના અંગત સચિવ વી જ્યોર્જ સાથે અણબનાવ થયા બાદ તે પદ છોડી દીધુ હતું અને પછીના વર્ષે સોનિયા ગાંધીના સલાહકાર બની ગયા હતા.
1977માં કોંગ્રેસની સાખ બચાવી
અહેમદ પટેલે ઇંદિરા ગાંધીના સમયથી કોંગ્રેસમાં હતા. 1977માં ચૂંટણીમાં જ્યારે ઇંદિરા ગાંધીને તખ્તો પલટવાની આશંકા હતી, ત્યારે આ અહેમદ પટેલ જ હતા કે જેઓએ પોતાની વિધાનસભા સીટ પર બેઠક આોજીત કરી રાજી કરીલીધા હતા.
1977માં જ્યારે ચૂંટણીમાં કોંગ્રેસને પરાજયનો સામનો કરવો પડ્યો ત્યારે ગુજરાતમાં માત્ર થોડા નેતાઓમાંથી એક અહેમદ પટેલ એવા હતા જે સંસદ પહોંચ્યા હતા. 1980ની ચૂંટણીમાં જ્યારે કોંગ્રેસે વાપસી કરી ત્યારે ઇંદિરા ગાંધીએ અહેમદ પટેલની કેબિનેટમાં સામેલ કરવાની ઇચ્છા, ત્યારે તેમણે સંગઠનના કામને પ્રાથમિકતા આપી.
કોંગ્રેસની પાસે અહેમદ પટેલ જેવા બીજા કોઇ નેતા નહીં
અહેમદ પટેલને 10 જનપથના ચાણક્ય કહેવાતા હતા. તેઓ કોંગ્રેસ પરિવારમાં ગાંધી પરિવારના સૌથી નજીકના અને ગાંધી બાદ 'નંબર 2' માનવામાં આવતા હતા. ઘણા તાકતવર અસરવાળા અહેમદ પટેલ પોતાને લો-પ્રોફાઇલ રાખતા હતા, સાઇલેંટ અને દરેક વ્યક્તિ માટે સીક્રેટિવ હતા. ગાંધી પરિવાર સિવાય કોઇને ખબર રહેતી નહોતી કે તેઓ શું વિચારી રહ્યાં હતા.