વર્ષ 2017માં રાજ્યસભાની ચૂંટણીના વિવાદ મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં અહેમદ પટેલની બીજી અરજી મામલે સુનાવણી હાથ ધરાશે. અહેમદ પટેલે હાઈકોર્ટમાં બીજી અરજી કરી છે અને તે અંતરત સુનાવણી હાથ ધરાશે.
બળવંતસિંહના બે સાક્ષીઓને પક્ષપાતી તરીકે બાકાત રાખવા અરજી થઈ છે. ઉપરાંત અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીને પક્ષપાતી તરીકે બાકાત રાખવા માટે અરજી થઈ છે. ઉલ્લેખનીય છે કે, હાઈકોર્ટમાં અહેમદ પટેલની ઉલટ તપાસ પણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, અહેમદ પટેલે પિટિશનની કોપી ઓરીજનલ છે કે નહીં તેની ચકાસણી માટે FSLમાં મોકલવા માટે પણ માગ કરી હતી.