હાલમાં વિશ્વમાં કોરોના મહામારીનું ખૂબ જ ગંભીર સંકટ છવાયેલું છે અને ભારતમાં પણ ધીમે ધીમે અનેક ભાગોમાં કોરોના સંક્રમણણા કેસો ફરીથી માથું ઊંચકવા લાગ્યા છે. કોરોના વાયરસ રોગચાળાથી એક પણ એવું ક્ષેત્ર નથી જે સીધી કે આડકતરી રીતે પ્રભાવિત ન થયું હોય, આ શ્રેણીમાં હવે ભારતના રાજકીય ક્ષેત્રનો પણ સમાવેશ થઈ જાય છે.
નોંધનીય છે કે નજીકના ભૂતકાળમાં જ ભારત ના અનેક દિગ્ગજ નેતાઓને કોરોના સંક્રમણનો ચેપ લાગી ચૂક્યો છે અને હવે આ જ શ્રેણીમાં ગુજરાત ના દિગ્ગજ નેતા અને કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી ના રાજકીય સલાહકાર એવા અહેમદ પટેલ નુ નામ પણ જોડાઈ ચૂક્યું છે.
હાલ અહેમદ પટેલની તબિયત સ્થિર
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગુજરાત કોંગ્રેસ ના દિગ્ગજ નેતા અને કોંગ્રેસ ની કિચન કેબિનેટના મહત્વના સભ્ય મનાતા અહેમદ પટેલનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો, અને હાલમાં તેમને વધુની સારવાર માટે દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાની માહિતી મળી રહી છે.
કોંગ્રેસવચગાળાના પ્રમુખ સોનિયા ગાંધી ના રાજકીય સલાહકાર એવા અહેમદ પટેલ નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ તેમને એક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતાં, તેમને ફરીદાબાદથી દિલ્હીની હોસ્પિટલમાં ફેરવવામાં આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે હાલ તેમની હાલટ સ્થિર છે અને ડોકટરોની દેખરેખમાં છે.
ગુજરાત કોંગ્રેસ ના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયા, વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે અહેમદ પટેલના ખબર અંતર પૂછ્યા હતા.