અમદાવાદના નારોલ-ઈસનપુર હાઈવે પર આવેલી કોઝી હોટલની સામે આનંદ એસ્ટેટમાં ગેસ બ્લાસ્ટની ઘટના સામે આવી છે. આ મકાનમાં બ્લાસ્ટ થતાં 2 લોકોના મોત થયા છે.
આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ સાથે જ પોલીસકર્મીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે. પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલીને વધુ કાર્યવાહી હાથધરી છે.
શહેરના ઇસનપુર વિસ્તારમાં આવેલ આનંદ એસ્ટેટના એક મકાનમાં ગેસનો સિલેન્ડર બ્લાસ્ટ થયો હોવાની ઘટના ઘટી છે. આ સિલેન્ડર બ્લાસ્ટમાં બે લોકોના મોત નિપજ્યાં છે. જો કે ઘટનાની જાણ થતાં ફાયર ફાયટર ઘટનાસ્થળે દોડી ગયા હતા.
સિલેન્ડર બ્લાસ્ટ બાદ આગ લાગતા ફાયર વિભાગે આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. સિલેન્ડર બ્લાસ્ટની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસની કામગીરી શરૂ કરી હતી.