શહેરમાં રખડતાં કૂતરાંના ત્રાસ ખૂબ હોઇ રખડતાં કૂતરાં કરડવાના બનાવ પણ સતત વધતા જાય છે. કેટલાક વિસ્તારમાં તો સૂર્યાસ્ત થતાં વૃદ્ધો, બાળકો અને મહિલાઓ માટે ઘરની બહાર નીકળવંુ મુશ્કેલ બન્યું છે.
અમદાવાદમાં રખડતાં કૂતરાંનો ખૂબ ત્રાસ
શહેરના કેટલાંક વિસ્તારોમાં બાળકો, વૃદ્ધોનું બહાર નીકળવું મુશ્કેલ બન્યું
કૂતરાંના રસીકરણ-ખસીકરણ પાછળ લાખોનું એંધાણ છતાં પરિણામ શૂન્ય
અગાઉ રખડતાં કૂતરાંને ઝેર ભેળવેલા લાડુ ખવડાવીને મારી નખતા હતા. પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે રખડતાં કૂતરાંના ખસીકરણ પર જ ધ્યાન અપાય છે. જોકે અમદાવાદીઓને રખડતાં કૂતરાં બચકાં ભરીને લોહીલુહાણ કરતાં હોઇ આ બાબતે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી થતા હાઇકોર્ટ પણ ચિંતીત બની છે. એક અંદાજ મુજબ છેલ્લા ર૦૧૯માં શહેરમાં ૧.રપ લાખથી વધુ લોકોને રખડતાં કૂતરાંએ કરડી ખાધાં છે.
ધરાસભ્ય ઇમરાન ખેડાવાલાને અપાયેલ સત્તાવાર માહિતી મુજબ ગત વર્ષે એલ.જી. હોસ્પિટલમાં સૌથી વધુ ૧ર,ર૧૯ કેસ, વીએસમાં ૧૦,પ૩ર, શારદાબેન હોસ્પિટલમાં ૯,૧પ૩, બહેરામપુરા રેફરલ હોસ્પિટલમાં ૩,૭૪૩, સાબરમતી રેફરલ હોસ્પિટલમાં ર૪૬૭, ગોમતીપુર રેફરલ હોસ્પિટલમાં ૧,૮૬ર નાગરિકોએ હડકવા વિરોધી રસી લીધી હોઇ એક અંદાજ મુજબ સરકારી અને ખાનગી દવાખાનામાં કુલ ૧.રપ લાખથી વધુ લોકોને રખડતાં કૂતરાં કરડતાં તેમને હડકવા વિરોધી રસી લેવાની ફરજ પડી હતી. બીજી તરફ તંત્ર દ્વારા રખડતાં કૂતરાંના રસીકરણ-ખસીકરણ પાછળ દર મહિને રૂ.૩૦ લાખનું આંધણ કરાય છે.