વિશ્વ વિખ્યાત જમાલપુર મંદિર ની રથયાત્રાને માટે મહત્વના સમચાર સામે આવ્યા છે કે પ્રથમ વાર ભગવાન જગન્નાથ ની 5 મી જળયાત્રામાં માત્ર મંદિરના સંતો જ હાજર રહેશે કોરોના ના સંક્રમણ ને અટકાવવા માટે જળયાત્રા માં ભક્તો કે મંદિરમાં યજમાનો ને આમંત્રિત કરવામાં આવશે નહિ.
અમદાવાદમાં છેલ્લા ઘણા વર્ષોથી રથયાત્રા નિકળે છે.. રથયાત્રા પહેલા જળયાત્રા નિકળે છે, ત્યારે આ વર્ષે 5મીં જૂને જળયાત્રા નિકળવાની છે. જળયાત્રામાં આ વર્ષે એક પણ ભક્તજન નહી જોડાય.
બળદગાડાથી 108 કળશ સાબરમતી નદીના કિનારે નહી લઈ જવામાં આવે. માત્ર 1 કળશમાં પાણી ભરીને 108 કળશમાં મૂકવામાં આવશે. જળયાત્રા દરમિયાન ગજવેશ દર્શનની વિધિ કરાશે. ગજવેશ દર્શન સમયે કોઈ પણ યજમાનને બોલાવવામાં નહિ આવે. આ દરમિયાન મંદિરના મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝા હાજર રહેશે.
જળયાત્રામાં મંદિરના 7 જેટલા લોકો દ્વારા અભિષેક કરાશે. જળયાત્રામાં માત્ર એક જ ગજરાજ રાખવાનો નિર્ણય કરાયો છે. આ વર્ષે જળયાત્રા ભક્તો, ભજનમંડળી, ગજરાજ અને ઘોડા વગર જ નિકળશે. અને રથયાત્રાને લઈને 31 મે બાદ કોઈ નિર્ણય લેવામાં આવશે.
ગજવેશની વાયકા
જેઠ સુદ પૂર્ણિમાએ ભગવાનનાં "ગજવેશ"નાં શણગારનાં દર્શન થાય છે
ગુજરાતનો એક ગણેશ ભક્ત ગણપતિ નામનો હતો
તે બે મહિના પગપાળ ચાલીને જગન્નાથજી મંદિર ગયો હતો
તેને ગણેશજીનાં બદલે જગન્નાથજીનાં દર્શન થયા
ભક્તને લાગ્યું કે, આ ભગવાન નાં હોય અને તેણે અન્ન-જળનો ત્યાગ કર્યો
જ્યારે "જયેષ્ઠાભીષેક" થયો, ત્યારે તેને ગણેશ સ્વરૂપનાં દર્શન થયા
ત્યારથી જ વર્ષમાં એક વખત ભગવાન ગજવેશમાં દર્શન આપે છે
જગન્નાથજી મંદિરમાં તો જળયાત્રા વિશિષ્ટ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે