અમદાવાદની ભવ્ય જગન્નાથની રથયાત્રા પૂર્વે આજરોજ શહેરમાં જગન્નાથજીની જળયાત્રા નીકળી હતી. જે સોમનાથ ભૂદરના આરે મંત્રોચ્ચાર સાથે પૂજાવિધિ કરીને નદીમાંથી કળશમાં જળભરી નીજ મંદિર પરત ફરશે. રાજ્યના ડે. સીએમ નીતિન પટેલ અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પૂજાવિધી કરી.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં 4 જુલાઈના રોજ 142મીં રથયાત્રા નિકળવાની છે. રથયાત્રા પહેલા શહેરમાં જળયાત્રા નિકળી છે. સાબરમતી નદીના સોમનાથ ભદર કાંઠે વિધિવત મંત્રોચ્ચાર સાથે વિધી કરાઈ હતી. નીજમંદિરથી 108 કળશ સાથે જળયાત્રા નિકળી હતી.
સાબરમતી નદીમાંથી ગંગાપૂજન કરીને યાત્રા નીજમંદિરે પરત ફરતી હોય છે. ત્યાર બાદ જળથી ભગવાન જગન્નાથનો અભિષેક કરાશે. અમદાવાદમાં ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાઇ છે. આજે પૂનમના દિવસે ભગવાન પોતાના મોસાળમાં સરસપુર જશે.
ઉલ્લેખનીય છે કે રથયાત્રા પહેલાનો પડાવ એટલે જળયાત્રા છે. આજે જગન્નાથજીની નીકળેલી જળયાત્રામાં મોટી સંખ્યામાં ભકતો જોડાયા. સાબરમતી નદીના તટ પર સોમનાથ ભૂદરના આરે મંત્રોચ્ચાર કરી વિધિ કરાઇ.