અમદાવાદમાં ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાવા જઈ રહી છે. આજે પૂનમના દિવસે ભગવાન પોતાના મોસાળમાં સરસપુર જશે. તેની સાથો સાથ 600 જેટલી ધજાઓ સાથે સાબરમતી નદીમાં ગંગાપૂજન કરવામાં આવે છે. 108 કળશમાં જળ ભરીને મંદિરમાં લાવ્યા બાદ ભગવાનને મહાજળાભિષેક કરવામાં આવે છે.
આ જળયાત્રામાં 15 ગજરાજો, 108 પારંપરીક કળશ અને 1 હજાર આઠ મહિલાઓ પણ જોડાયેલી હોય છે. જળયાત્રામાં 10થી વધુ ભજન મંડળીઓ પણ જોડાઈ છે. જ્યારે 501 જેટલા લોકો હાથમાં વિવિધ રંગોના ઝંડા અને ધજા સાથે સામેલ થયતાં હોય છે.
આ સિવાય 51 લોકો ચાંદીની છડી સાથે 10 જેટલા કાવડમાં ભગવાન જગન્નાથજી માટે પ્રસાદ લાવે છે. ઉલ્લેખનીય છે કે, ભગવાન જગન્નાથની રથયાત્રા સમાન જ આ જળયાત્રા ગણાય છે. ભગવાન જગન્નાથજી ગણેશજીના રૂપમાં દર્શન આપશે. આ મંદિરમાં પંદર દિવસસુધી ભગવાન વિગ્રહ રહેશે.
જળયાત્રાની રસપ્રદ વાત
ભગવાન જગન્નાથજીની 12 યાત્રાઓ પૈકીની મુખ્ય યાત્રા છે જળયાત્રા