દેવભૂમિ દ્વારકાઃ રાજ્યમાં ધીમે ધીમે આહિર રેજિમેન્ટની માગ ઉગ્ર બની રહી છે. દ્વારકા બાદ હવે ગુજરાતભરમાંથી 5 લાખથી વધુ પોસ્ટકાર્ડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખવામાં આવ્યા છે.
ત્યારે પ્રવીણ રામે આ મામલે જણાવ્યું કે આગામી 27 તારીખના લોકસભા સત્ર ચાલુ હોય ત્યારે જંતર મંતર પર પ્રતિક ઉપવાસ પર ઉતરશે. લોકસત્રા સત્ર સમયે જંતર મંતર પર પ્રતિક ઉપવાસ પર ઉતરશે. જો માગનું નિરાકરણ નહીં આવે તો 4 ફેબ્રુઆરીએ યાદવ કૂચની ચીમકી ઉચ્ચારી છે.
નહીં તો આગામી 4 ફેબ્રુઆરી રામલીલા મેદાનમા 26 કરોડ઼ યાદવો કુચ કરશે અને આહિર રેજિમેંટની માંગ ઉગ્ર બનાવશે. ત્યારે ગુજરાતભરમાંથી આજે આહિર સમાજના લોકો પોસ્ટ ઓફિસ પહોંચી પોસ્ટકાર્ડ લખી રવાના કરવા પહોચ્યા હતા.
સમગ્ર ગુજરાતમાંથી ગામડા તેમજ તાલુકા મથકેથી 5 લાખથી વધુ પોસ્ટકાર્ડ પીએમ નરેન્દ્ર મોદીને લખવામા આવ્યા છે. સાથે અન્ય રાજ્યોમાંથી પણ પોસ્ટકાર્ડ લખી મોકલવામા આવ્યા છે. ઉગ્ર માંગ કરવામા આવી છે કે સેનામા આહિર રેજિમેંટ આપવામાં આવે છે.
ગુજરાતમાંથી આજે ગામડા તેમજ તાલુકા મથકેથી તે ઉપરાત લગ્ન પ્રસંગમાં દુલ્હન અને દુલ્હા દ્વારા પણ પોસ્ટકાર્ડ લખી પીએમ મોદીને અપીલ કરવામા આવી છે.