અમદાવાદના જગન્નાથ મંદિરથી નિકળેલી રથયાત્રા સરસપુરમાં પહોંચશે. જ્યારે સરસપુરમાં રથયાત્રાના ભવ્ય સ્વાગતને વહેલી સવારથી લોકો ઉમટ્યા છે. બેન્ડવાજા અને ઢોલના તાલે લોકો ઝૂમી રહ્યા છે. જય રણછોડના નાદથી સરસપુર ગુંજી ઉઠ્યુ છે. તો મામેરાની તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. ભક્તજનો દર્શન કરી શકે એ માટે ખાસ કરાઇ છે.
સરસપુરમાં ભક્તજનો દર્શન કરીને ભોજન કરશે. ત્યારે હવે સરસપુરમાં ભક્તોના ભોજન માટે તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ભક્તજનો દર્શન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં પણ આવી છે.
જો રથયાત્રાની વાત કરીએ તો જમાલપુર દરવાજાથી ભગવાનના ત્રણેય રથો આગળ નીકળ્યા છે, જ્યારે ગજરાજ કાલુપુર પહોંચ્યા છે. તો શણગારેલા ટ્રક ખાડિયા પહોંચ્યા છે. ત્યારે ખાડિયામાં લોકો ભગવાન જગન્નાથના દર્શન માટે ઉમટી પડ્યા છે. તો સરસપુરમાં ભક્તો વાટ જોઇ રહ્યા છે.