અમદાવાદના નરોડા વિસ્તારના ધારાસભ્ય બલરામ થાવાણીએ મહિલાને માર મારવાના મામલે હજી સુધી સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સરકાર દ્વારા કાર્યવાહી ન કરવામાં આવતા અનેક સવાલ ઉઠી રહ્યા છે. આ મામલે ભાજપની બેવડી નીતિ જોવા મળી છે.
મહત્વનુ છે કે, પાણીના મુદ્દે રજૂઆત કરવા માટે પહોંચેલી મહિલાને બલરામ થાવાણીએ જાહેરમાં માર માર્યો હતો. આ ઘટનાના 18 કલાક બાદ પીડિતા અને ધારાસભ્યે સમાધાન કર્યુ હતુ. જોકે આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાઈ.
ભાજપ દ્વારા ધારાસભ્ય પાસેથી લેખિતમાં ખુલાસો મંગાવવામાં આવ્યો હતો. પક્ષ દ્વારા બલારામ થાવાણીને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તેવુ લાગી રહ્યુ છે. રાજકીય દબાણ કરીને મહિલા સાથે સમાધાન કરાયું હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે હવે સરકાર દ્વારા આ મામલે શું કાર્યવાહી કરાશે અથવા ધારાસભ્યને છોડી દેવામાં આવશે તે આગામી દિવસોમાં જોવાનુ રહેશે.