AMC દ્વારા સાબરમતીને શુધ્ધ કરવાની વાતો કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદથી પસાર થઈ ખેડા જિલ્લાના સરહદી ગામો અને પ્રખ્યાત તીર્થ સંગમ સ્થાન વૌઠા નજીકના ગામો અને ખેડાના 35થી વધુ ગામોના ખેડૂતો આ સાબરમતી નદીના કેમિકલ યુક્ત પાણીથી સિચાઈ કરવા વર્ષોથી મજબૂર બન્યા છે અને તેમની મુખ્ય ઓડખ સમાન પાકો મૃતપાય બન્યા છે તો તેમની ઉપજવ જમીન પોતાની ફળદ્રુપતા ગુમાવી રહી છે સથે ખેડૂતો અને ખેતમજૂરોને ચામડીના રોગો પણ થઈ રહ્યા છે.
ગુજરાતનો પ્રખ્યાત વૌઠાનો મેળો વિશ્વવિખ્યાત છે. અહી સાબરમતી, વાત્રક શેડી સહિત સાત નદીઓનો સંગમ થાય છે. જો કે સાબરમતી નદીના કેમિકલ યુક્ત પાણી આ છ નદીમાં ભળવા છતાં કેમિકલયુક્ત જ પાણી રહે છે તે જ બતાવી રહ્યું છે કે, અમદાવાદની કંપનીઓ કેટલું દૂષિત અને ઘાતક કેમિકલ સાબરમતીમાં નાખી રહ્યા છે. આ સંગમ સ્થાને એક તરફ પાલ્લા અને બીજા કિનારે વૌઠા આવેલ છે. જ્યાં છ નદીઓનો સંગમ થાય છે, જો કે અહી ચાર દાયકાથી સાબરમતી નદી કેમિકલ યુયાક્ત દૂષિત પાણી સાથે વહે છે. ત્યારે વૌઠા સંગમ સ્થાન સાથે નજીક આવેલ 26 જેટલા કાઠાગાળાના ગામો ના ખેડૂતો સાબરમતીના કેમિકલ યુક્ત દૂષિત પાણીથી સિચાઈ કરવા મજબૂર છે.
ચાર દાયકા પહેલાં આ વિસ્તારના ખેડૂતોની ઓડખ સમાન જામફળ, કેળાં અને શેરડીનો પાક હવે દૂષિત પાણીને કારણે ભૂતકાળ બની ગયો છે. ત્રણ સિઝન પૈકી હવે માત્ર બે જ સિયાળું અને ચોમાસુ પાક જ અહીના ખેડૂતો પકવે છે, જ્યારે ઉનાડુ પાકને બદલે પશુઓ માટે ઘાસ રજકો અને ઘઉંનું વાવેતર કરે છે. પશુઓને પણ અહીના કેમિકલ યુક્ત પાણી પીવડાવવા પશુપાલકો મજબૂર છે. આ ખેતરોમાં કામ કરતાં ખેડૂતો અને ખેતમજૂરોને આ કેમિકલ યુયાક્ત પાણીને કારણે શરીરમાં ચામડીના રોગો અખોમાં બળતરા જેવા રોગો પણ થાય છે, પશુધનનું દૂધ ઓછું થવા લાગ્યું છે છતાં સરકાર અને અમદાવાદ પ્રશાસન સબ સલામતના દાવા કરે છે.
ખેડા તાલુકાના રસિકપુરા, લાલી, નાયકા નવાગામ સહિતના 35 ગામોમાં પણ સાબરમતીના ઝેરી કેમિકલયુક્ત દૂષિત પાણી ખેડૂતો અને ગ્રામજનો માટે મુસીબત બની છે, આ કેમિકલ યુક્ત પાણી અહીંના ખેડૂતો સિચાઈ કરી શાકભાજી અને ઉનાડુ પાકોનું વાવેતર કરે છે, જે ઝેરી અને સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. સાથે રસિકપુરા સાબરમતીના કિનારે આવેલ ગામ છે અને તે સિચાઈ અને પીવાના પાણી માટે સાબરમતી નદી ઉપર નિર્ભર છે, ગામમાં પાણીના તળ ઊચા જતાં કેમિકલ યુક્ત દુર્ગંધ મારતા ફીણ વાળું પાણી આવવાનું શરૂ થયું હતું. જો કે હાલ પાણીના તળ ગત વર્ષે થયેલ ઓછા વરસાદને પગલે હાલ તે સમશ્યા ઓછી થાય છે છતાં સિચાઈના અને પીવાના પાણીમાં કેમિકલ ની અસર જોવા મળે છે.
ભારે ટીડીએસ સાથે ફીણ વાળું પાણી જ મજબૂરીમાં ખેડૂતો પશુપાલકો ગ્રામજનો વાપરવા મજબૂર બન્યા છે. કેટલાક અમદાવાદની કંપનીઓ દ્વારા સ્થાનિક નેતાગીરી સાથે સાઠગઠ કરી કેમિકલ સાબરમતી નદી ખરીકત કેનાલ શેડી નદીમાં રોજે રોજ ટેન્કર અને પાઇપ લાઇનથી છોડવામાં આવે છે ત્યારે સરકાર દ્વારા સાબરમતીની શુધ્ધિની વાતો માત્ર કાગળ ઉપર કરવામાં આવતા આ વિસ્તારના લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.