રથયાત્રા / ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રા દિવ્યતાપૂર્વક સંપન્ન, મંદિરમાં ભગવાનનું આરતી ઉતારીને સ્વાગત

Ahemdabad Rath Yatra Live Update

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા નિકળી હતી. ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં અમદાવાદની રથયાત્રા પૂર્ણ થઇ છે. દિવસભરની નગરચર્યા બાદ ભગવાન નીજ મંદીરે પહોચ્યા છે. બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે ભગવાન પહોચ્યાં છે. નીજ મંદીર ખાતે હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી હતી. ભગવાનને નિરખવા માટે શહેરભરના લોકોની ભારે ભીડ ઉમટી હતી. પરંપરા અનુસાર રાતે ભગવાનને પ્રાંગણમાં પડાવ આપવામાં આવશે. મંદીરના મહંતે આરતી ઉતારીને ભગવાન જગન્નાથનું સ્વાગત કર્યુ હતું. આરતીનો લહાવો લેવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ