અમદાવાદમાં PSI દેવેન્દ્રસિંહ રાઠોડના આપઘાતનો મામલે FSLનો રિપોર્ટ નીલ આવ્યો હોવાનો ક્રાઈમ બ્રાન્ચે ખુલાસો કર્યો છે. તપાસમાં 377 મુજબ એટલે કે સુષ્ટિ વિરુદ્ધના કૃત્યનો રિપોર્ટ નીલ આવ્યો છે.
PSIના કપડા, હથિયાર સહિત મુદ્દામાલનો FSLમાં મોકલાયા હતા. ત્યારે આ તમામના રિપોર્ટ બાદ કાર્યવાહી કરવામં આવશે. હાલ કરાઈ એકેડમીના અધિકારી સહિત 100થી વધુ લોકોના નિવેદન લેવાયા છે.
આ ઉપરાંત મૃતક PSIના મિત્રો અને પરિવારજનોના નિવેદન લેવામાં આવ્યા છે અને DySP એન.પી.પટેલ વિરુદ્ધ પુરાવાને લઈને પણ તપાસ ચાલું છે. જો કે હજુ સુધી કોઈ મહત્વના પુરાવા સામે નથી આવ્યા. હવે FSL રિપોર્ટ બાદ ક્રાઈમ બ્રાન્ચ કાર્યવાહી કરશે. ત્યારે મૃતક PSIના પત્નીએ જો 7 દિવસમાં ન્યાય નહીં મળે તો આપઘાતની ચીમકી ઉચ્ચારી છે.