શહેરના નારણપુરા વિસ્તારમાં પીજીમાં રહેતા યુવકનું રૂપિયાની લેતી-દેતીના મામલે તેના જ મિત્રએ અપહરણ કરી સાણંદ ખાતે અવાવરું જગ્યાએ લઇ જઇ માર મારતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. યુવકે તેના મિત્ર પાસેથી પાંચ લાખ રૂપિયા કરતાં વધુ રકમ લીધી હતી, જે નહીં આપતાં તેનું અપહરણ કરવામાં આવ્યું હતું.
રૂપિયાની લેતી-દેતીના મામલે અપહરણ
મિત્રોની મદદથી છૂટી ગયો
કિસ્સો ટોક ઓફ ધ ટાઉન
નારણપુરા વિસ્તારમાં આવેલા રઘુકુળ એપાર્ટમેન્ટમાં મિત્રો સાથે પીજી તરીકે રહેતા અને મૂળ હારીજના જયદીપ ઠક્કરે ઘાટલોિડયા પોલીસ સ્ટેશનમાં સુરેન્દ્રનગરના સમીર પટેલ અને ગાંધી સહિત ચાર-પાંચ યુવકો વિરુદ્ધ અપહરણ-મારામારી તેમજ કાવતરાની ફરિયાદ કરી છે. જયદીપે હેમચંદ્રાચાર્ય યુનિવિર્સટીમાં એમએસસીઆઇટી સુધીનો અભ્યાસ કર્યો છે અને હાલ બેકાર છે.
લોકડાઉન બાદ આર્થિક તંગીના કારણે પીજીનું ભાડું ચડી ગયું
તેની સાથે તેનો મિત્ર સમીર પટેલ પણ એમએસસીઆઇટીનો અભ્યાસ કરતો હતો. લોકડાઉન બાદ આર્થિક તંગીના કારણે પીજીનું ભાડું ચઢતાં તેમજ બીજું પણ દેવું થઇ જતાં જયદીપ ઠક્કરે સમીર પટેલ પાસેથી કેટલાક રૂપિયા પરત આપી દેવાની શરતે ઉધાર લીધા હતા. સમીરે મિત્ર સમજીને જયદીપને આર્થિક મદદ કરી હતી, જ્યારે તેના મિત્ર ગાંધીએ પણ જયદીપને પાંચ લાખ રૂપિયાની મદદ કરી હતી. જયદીપે સમીરને એક મહિનામાં રૂપિયા પરત આપી દેવાનું પ્રોિમસ આપ્યું હતું.
અવારનવાર ફોન કરીને રૂપિયાની ઉઘરાણી કરાઇ
એક મિહના ઉપરનો સમય થઇ ગયો, પરંતુ જયદીપે રૂપિયા ન આપતાં સમીર અને ગાંધી અવારનવાર ફોન કરીને રૂપિયાની ઉઘરાણી કરતા હતા. સમીર અને ગાંધીના અવારનવાર ફોન આવતા તો જયદીપે ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા. જયદીપે ફોન નહીં ઉપાડતાં બુધવારની રાતે સમીર અને ગાંધી બે ગાડી લઇ નારણપુરા આવી ગયા હતા. સમીર સાથે બીજા ચાર-પાંચ યુવકો પણ હતા, જેથી તે બધા પીજીમાં ઘૂસી ગયા હતા અને જયદીપને રૂપિયા આપવા માટેની ધમકી આપતા હતા.
જપદીપ સાથે રહેતા અન્ય પીજીના યુવકો આ ઘટના જોઇ રહ્યા હતા, જેથી સમીર તેને નીચે લઇ ગયો હતો, જ્યાં ગાંધીએ તેને બે-ત્રણ લાફા મારી દીધા હતા અને રૂપિયા આપવા માટેની ધમકી આપી હતી તથા ગાડીમાં બેસી જવાનું કહ્યું હતું. જયદીપે ગાડીમાં બેસવાની ના પાડતાં સમીરે તેના ટાંિટયા તોડી નાખવાની ધમકી આપી હતી, જેથી તે ડરીને ગાડીમાં બેસી ગયો હતો. બંને ગાડી ભરીને આવેલા યુવકો જયદીપને સાણંદ હાઇવે પર લઇ ગયા હતા, જ્યાં તેને માર માર્યો હતો અને કોરા ચેક પર સહી કરવાનું કહ્યું હતું.
ચેક રૂમ પર હોવાના કારણે ગાંધીએ તેના મોબાઇલથી પીજી તરીકે રહેતા ચિરાગને ફોન કર્યો હતો, જેમાં તે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે આવ્યો હોવાનું કહ્યું હતું.
પોલીસ સ્ટેશનનું નામ સાંભળતાંની સાથે સમીર અને જયદીપ ડરી ગયા હતા અને જયદીપને સરખેજ મૂકીને નાસી ગયા હતા. જયદીપ િરક્ષામાં બેસીને રૂમ પર આવી ગયો હતો, જ્યાં તેણે ઘાટલોિડયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ઘાટલોિડયા પોલીસે આ મામલે અપહરણ તેમજ માર મારવાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.