શહેરમાં બાળમજૂરીના કાયદાનું ઉલ્લંઘન થયું હોવાની વધુ ઘટનાઓ એક પછી એક સામે આવી છે. આનંદનગર વિસ્તારમાં આવેલ જય જલારામ પરોઠા હાઉસમાં દરોડા પાડતાં બે બાળકો મજૂરીકામ કરતાં મળી આવતાં બાળકોને મુક્ત કરાવીને માલિક વિરુદ્ધમાં ગુનો નોંધાયો છે.
‘બચપન બચાવો’ આંદોલનના સ્ટેટ કો-ઓિર્ડનેટર શીતલ પ્રદીપે જય જલારામ પરોઠા હાઉસના માલિક ચમનસિંગ રાજપૂત વિરુદ્ધમાં આનંદનગર પોલીસ સ્ટેશનમાં જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ-૭૯ હેઠળ બાળમજૂરીની ફરિયાદ નોંધાવી છે. ચાઈલ્ડ લાઈનની ટીમ તેમજ ‘બચપન બચાવો’ આંદોલનની ટીમે પોલીસ સાથે આનંદનગર પાસે આવેલ જય જલારામ પરોઠા હાઉસ પર દરોડા પાડ્યા તે સમયે રસોડામાં વાસણ અને સાફસફાઈનું મજૂરીકામ કરતા બે સગીર મળી આવ્યા હતા. આ બંને બાળકો પાસે મજૂરીકામ કરાવવામાં આવી રહ્યું હતું.
જલારામ પરોઠા હાઉસમાં બે બાળકો પાસે મજૂરીકામ કરાવવામાં આવતું હોવાની બાતમીના આધારે ચાઈલ્ડ લાઈનની ટીમે દરોડા પાડ્યા ત્યારે રસોડામાં બે બાળમજૂર મળી આવતાં જય જલારામ પરોઠા હાઉસના માલિક વિરુદ્ધ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને બે બાળકોને વાસણા ખાતે આવેલ બાળસંરક્ષણ ગૃહમાં મોકલી આપવામાં આવ્યા હતા.
પકવાન ડાઈિનંગ હોલમાં ચાર બાળમજૂર
તો ગઈકાલે પકવાન ડાઈિનંગ હોલમાં બાળમજૂરો પાસે મજૂરીકામ કરાવવામાં આવતું હોવાની બાતમીના આધારે ચાઈલ્ડ લાઈનની ટીમે પકવાન ડાઈિનંગ હોલમાં દરોડા પાડ્યા હતા ત્યારે રસોડામાં કામ કરતા ચાર બાળમજૂર મળી આવ્યા હતા. આ અંગે પકવાન ડાઈિનંગ હોલના માલિક વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ચારેય બાળકોને મુકત કરાવાયાં હતા.
ઉલ્લેખનીય છે કે, ૧૨ જૂનના રોજ વિશ્વ બાળમજૂરી વિરોધ દિવસે શહેરમાં અનેક જગ્યાએ હોટલ, ગેરેજ અને નાની દુકાનોમાં નાના બાળકોને કામ કરાવી બાળમજૂરી કરાવવામાં આવે છે. તેની તપાસ કરવામાં આવી હતી ત્યારે શહેરના આનંદનગર રોડ પર તેમજ વેજલપુર વિસ્તારમાં બાળમજૂરી કરાવતા ત્રણ દુકાનદાર સામે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.