અમદાવાદમાં વર્ષ 2009માં ત્રણ વિસ્તારમાં લઠ્ઠાકાંડની ઘટના બની હતી. અમદાવાદના કાગડાપીઠના મજૂર ગામ અને ઓઢવમાં લઠ્ઠાકાંડની ઘટના બની હતી. ત્યારે ઓઢવ લઠ્ઠાકાંડ મામલે આજે સેશન્સ કોર્ટમાં ચુકાદો આવી શકે છે.
તો ગત ચુકાદા દરમિયાન પોલીસ જાપ્તો ના મળવાથી મુદ્દત પડી હતી. વર્ષ 209માં થયેલા લઠ્ઠાકાંડમાં ઓઢવમાં 123થી વધુ લોકોનાં મોત થયા હતા. કાગડાપીઠના મજૂરગામમાં 23 લોકોનાં મોત થયા હતા. જ્યારે 250થી વધુ લોકોને ગંભીર અસર થઈ હતી. અનેક લોકોએ આ લઠ્ઠાકાંડ બાદ પોતાની આંખો પણ ગુમાવી હતી.