કોરોના મહામારી સામે ઝઝૂમીને કંઇક અંશે કંટાળેલા અમદાવાદીઓ તેમાં પણ પુસ્તકપ્રેમીઓ માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા સારા સમાચાર છે. શહેરની ઐતિહાસિક એમ.જે.લાઇબ્રેરી તંત્રનાં સ્માર્ટ સિટી મિશન હેઠળ અત્યાધુનિક બનાવાઇ રહી છે. સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલપમેન્ટ લિમિટેડ (એસસીએડીએલ) દ્વારા એમ.જે.લાઇબ્રેરીના ઓટોમેશનનાે પ્રોજેકટ હાથ ધરાયો છે.
એમ.જે.લાઇબ્રેરી તંત્રનાં સ્માર્ટ સિટી મિશન હેઠળ અત્યાધુનિક બનશે
મનપા દ્વારા હાથ ધરાઇ કામગીરી
પુસ્તક ચોરી થશે તો વાગશે બઝર
જેના કારણે આ લાઇબ્રેરીમાંથી કેટલાક લાઇબ્રેરીનાં પુસ્તક ગુપચાવવાની વિકૃતિ ધરાવતા સભ્યોનાં કારણે જાણી જોઇને કે અજાણતાં ગુમ થતાં પુસ્તકને રોકવા માટે ખાસ ‘બઝર’ સિસ્ટમ વિકસિત કરાશે. એટલે કોઇ સભ્ય પુસ્તક ગુપચાવશે તો ‘ઓટોમેટિક બઝર’ વાગી તે સભ્યને લાઇબ્રેરીનાે સ્ટાફ રંગે હાથ પકડી પાડશે.
૧પ એપ્રિલ, ૧૯૬૮એ કરાયું છે લોકાર્પણ
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હસ્તે એમ.જે.લાઇબ્રેરી (માણેકલાલ જેઠાલાલ)નું ખાતમુહૂર્ત કરાયા બાદ તેનું દેશના લોહપુરુષ ગણાતા સરદાર વલ્લભભાઇ પટેલના હસ્તે ૧પ એપ્રિલ, ૧૯૬૮એ લોકાર્પણ કરાયું હતું. મ્યુનિ. સંચાલિત આ લાઇબ્રેરી જયપુરી સ્થાપત્ય ધરાવતી હોઇ અમદાવાદનું ગૌરવ છે. પ્રારંભમાં સસ્તું સાહિત્ય કાર્યાલયના સ્વામી અખંડાનંદ તરફથી ભેટ મળેલાં ૮,૮૯૧ પુસ્તકોથી એમ.જે. લાઇબ્રેરી જાહેર જનતા માટે ખુલ્લી મુકાઇ હતી.
લાઇબ્રેરી પાસે ૭.૭ લાખથી વધુ પુસ્તકોનો ભંડાર
પરંતું આજે આ લાઇબ્રેરી પાસે ૭.૭ લાખથી વધુ પુસ્તકોનો ભંડાર છે. ગુજરાતી, હિંદી, અંગ્રેજી, સંસ્કૃત, બંગાળી, સિંધી અને મરાઠી ભાષાનાં આ પુસ્તકો અમદાવાદીઓ માટે જ્ઞાનમંદિર બનીને લોકોની જ્ઞાનપિપાસા પૂરી કરે છે.
શહેરના વિભિન્ન વિસ્તારમાં નવ શાખા પુસ્તકાલય, એક વાંચનાલય અને ત્રણ ફરતાં પુસ્તકાલયની સેવા ધરાવતા એમ.જે.લાઇબ્રેરી મેનેજમેન્ટ બોર્ડ દ્વારા ચાલુ નાણાકીય વર્ષ ર૦ર૦-ર૧ના બજેટમાં એમ.જે.લાઇબ્રેરીમાં આરએફઆઇડી સિસ્ટમ શરૂ કરવાનું આયોજન નક્કી કરાયું હતું. આ આયોજન હેઠળ આ લાઇબ્રેરીના પુસ્તકનું કમ્પ્યૂટરાઇઝેશન કરી બારકોડિંગ સિસ્ટમની મદદથી પુસ્તકની આપ-લે બાદ પુસ્તકની સલામતી માટે તેને આરએફઆઇડી ટેગ લગાવવાનો ઠરાવ બજેટમાં પસાર કરાયો હતો.
તાજેતરમાં તંત્રે ‘સ્માર્ટ સિટી મિશન’ અંતર્ગત પુસ્તકને આરએફઆઇડી ટેગ લગાવવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યાં છે. તેમ જણાવતાં એમ.જે.લાઇબ્રેરીના ગ્રંથપાલ ડો.બિપીન મોદી વધુમાં કહે છે, આરએફઆઇડી કોડ લગાવાયેલાં પુસ્તકને કોઇ સભ્ય ચોરવાનો પ્રયાસ કરશે તો તત્કાળ ‘બઝર’ વાગતાં સ્ટાફ સાવધાન થઇ જશે. જોકે આરએફઆઇડી ટેગથી લાગેલાં પુસ્તકથી સભ્યો પોતે પણ પુસ્તકની આપ લે કરી શકશે. એમ.જે.લાઇબ્રેરીના વાર્ષિક સભ્યપદની ફી રૂ.પ૦૦ હોઇ તેમાં રૂ.૩૦૦ ડિપોઝિટ પેટે છે. જ્યારે આજીવન સભ્યપદ ફી રૂ.૧પ૦૦ છે. અત્યારે બાળકિશોર વિભાગના ૧,૪૯૧ સભ્ય મળીને લાઇબ્રેરીના કુલ રપ,ર૯૮ સભ્યો છે. આ પ્રોજેકટ પાછળ રૂ.૪૦ લાખ ખર્ચાશે અને તેમાં પાંચ વર્ષનાં ઓપરેશન અને મેન્ટેનન્સનો પણ સમાવેશ થાય છે. પ્રારંભમાં લાઇબ્રેરીના ૧.૭૦ લાખ પુસ્તકને આરએફઆઇડી ટેગ લગાવાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે એમ.જે. લાઇબ્રેરીના ચાલુ નાણાકીય વર્ષ ર૦ર૦-ર૦ર૧ના કુલ ૧૭.૩૪ કરોડના બજેટમાં મહેકમ ખર્ચ જ રૂ.૧૧.૭૬ કરોડ એટલે કે ૬૭.૮૧ ટકા જેટલો જંગી હોઇ લાઇબ્રેરીનો મુખ્ય પ્રાણ એટલે કે તેની વાચન સામગ્રી તેમજ વર્તમાનપત્ર અને સામયિકોની ખરીદી માટે માત્ર રૂ.પ૩.રપ લાખ એટલે કે ૩.૦૭ ટકાનું બજેટ ફાળવાતું હોઇ વાચકોનો મોટો વર્ગ એમ.જે. લાઇબ્રેરીના મેનેજમેન્ટ બોર્ડથી નારાજ છે.