જગન્નાથ મંદિરમાં રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઇ ચૂકી છે. મંદિરને શણગારવામાં આવી રહ્યું છે ત્યારે મંદિર પરિસરમાં તાજેતરમાં બનાવાયેલી ચાર માળની બિલ્ડિંગના હોલમાં જવા માટે હવે ભાવિકોને પગથિયાં નહીં ચઢવાં પડે. અહીં લિફટ મુકાઇ રહી છે. જે ભંડારો શરૂ થશે તે પહેલાં કાર્યરત થઇ જશે.
આ બિલ્ડિંગમાં બીજા અને ત્રીજા માળે હોલમાં સાધુ સંતો અને વીઆઇપી માટે ભંડારા, પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે. કેટલાક સંતો દાદરો ચઢી શકવા માટે શકિતમાન ન હોઇ હવે તાત્કાલિક લિફટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
અષાઢ મહિનાની બીજના દિવસે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્ર સાથે રથયાત્રા કરીને નગરનું પરિભ્રમણ કરશે. ત્યારે અમદાવાદમાં રથયાત્રા પર્વનો એક અનેરૂ મહત્વ છે. જો કે અષાઢી બીજના તહેવારને હવે ગણતરીના જ દિવસો બાદી છે ત્યારે અમદાવાદ જગન્નાથ મંદિરમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે રથયાત્રાને લઈને અમદાવાદમાં પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે. મંદિરમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.