સુરતમાં અગ્નિકાંડ બાદ ફાયર વિભાગ દ્વારા રાજ્યભરમાં તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદમાં ફાયર સેફ્ટીને લઈને વીટીવી દ્વારા રિયાલિટી ચેકિંગ કરવામાં આવ્યુ. આ દરમિયાન વીટીવીની ટીમ અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં પહોંચી હતી. કૃષ્ણનગર વિસ્તારમાં અદાણીના CNG પંપની બાજુમાં સરકારી શાળા આવેલી છે.
સ્કૂલ હોવા છતા તંત્ર દ્વારા CNG પંપને પરવાનગી આપવામાં આવી છે. સરકારી શાળા હોવા છતા અદાણીના CNG પંપને પરવાનગી આપવામાં આવી છે. CNG પંપમાં કોઈ દુર્ઘટના થાય તો શાળાને સૌથી પહેલા ખતરો થઈ શકે છે.
આ શાળામાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. હજારો વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ આ મામલે એક જાગૃત નાગરિક દ્વારા અરજી કરવામાં આવી હતી. અરજી બાદ તંત્ર દ્વારા કાર્યવાહી કરીને CNG પંપને સીલ કરવામાં આવ્યો હતો. સીલ કર્યા બાદ ફરીથી મંજૂરી લઈને CNG પંપ શરૂ કરવામાં આવ્યો છે.