અમદાવાદમાં મેટ્રો ટ્રેનની લઈને વધુ એક વિવાદ થતા કામગીરી અટકાવી દેવામાં આવી છે. થલતેજ ગામમાં 200 મકાન કપાતમાં આવતા સ્થાનિકોએ વિરોધ કર્યો છે, જેથી હાલ કામગીરી અટકાવી દેવામાં આવી છે.
તમને જણાવી દઇએ કે, મેટ્રો ટ્રેન વસ્ત્રાલથી એરપલ પાર્ક ચાલું કરી દેવામાં આવી છે. જ્યારે બાકીનું પણ મોટા ભાગનું કામ પૂર્ણ થવાના આરે છે. તો આ બાજુ થલતેજ સુધીની કામગીરી લગભગ પુર્ણતાના આરે છે. જ્યારે થલતેજ ગામમાં મેટ્રોનુ અંતિમ સ્ટેશન બનવાનુ બાકી છે. આ સ્ટેશન બનાવામાં આવી રહ્યું છે, ત્યારે ત્યાના સ્થાનિકોએ વિરોધ કરતા હાલ મેટ્રો ટ્રેનની કામગીરી અટકાવી દેવામાં આવી છે.