ગુજરાત કોંગ્રેસ દ્વારા વિધાનસભામાં દંડક, ઉપદંડક, પ્રવકતા,ખજાનચી સહિતના હોદેદારોની વરણી કરવામાં આવી છે.
કોંગ્રેસે હોદ્દેદારોની કરી વરણી
ડો.સી.જે.ચાવડાને દંડક બનાવાયા
દિનેશભાઈ ઠાકોરની ખજાનચી તરીકે વરણી
વિધાનસભામાં કોંગ્રેસ પક્ષ દ્રારા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે જેમાં કોંગ્રેસ પક્ષના દંડક તરીકે ડો.સી.જે.ચાવડાને નિમણુક કરાઈ છે તો ઉપ દંડક તરીકે કિરીટ પટેલ અને વિમલ ચુડાસમા તેમજ ઈમરાન ખેડાવાલાની વરણી કરવામાં આવી છે. વધુમાં દિનેશભાઈ ઠાકોરને કોંગ્રેસના ખજાનચી બનાવવામાં આવ્યા છે. એજ રીતે ડો.તુષાર ચૌધરી અને જીગ્નેશ મેવાણીને કોંગ્રેસના પ્રવક્તા તરીકે નિમણૂક કરાઈ છે. વધુમાં ગેનીબેન ઠાકોર, અનંત પટેલ અને કાંતિભાઈ ખરાડીની પણ પ્રવક્તા તરીકે વરણી કરવામાં આવી હોવાનું સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે.
કોંગ્રેસ પક્ષે વિધાનસભામાં હોદ્દેદારોની વરણી કરી, કોંગ્રેસ પક્ષના દંડક તરીકે ડો.સી.જે.ચાવડા, ઉપ દંડક તરીકે કિરીટ પટેલ, વિમલ ચુડાસમા, ઈમરાન ખેડાવાલાની કરાઈ વરણી, દિનેશભાઈ ઠાકોરને કોંગ્રેસના ખજાનચી બનાવવામાં આવ્યા#Congress#vtvgujarati#Ahmedabadpic.twitter.com/G5bO43qEms
મહત્વનું છે કે ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર
પહેલા કોંગ્રેસ દ્વારા આ નિમણુક કરવામાં આવી છે. આવતીકાલથી વિધાનસભાની બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. ત્યારે 22મીએ એટલે કે આજે બજેટ સત્ર પહેલાની અંતિમ કેબિનેટ બેઠક યોજાઈ હતી. બજેટમાં પેપરલીક વિરોધી બિલને સરકાર દ્વારા સર્વાનુમતે પસાર કરવામાં આવી શકે છે. વધુમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર 24 ફેબ્રુઆરીએ પોતાનું બીજુ બજેટ રજૂ કરશે અને નાણાં મંત્રી કનુ પટેલ વિધાનસભામાં નાણા પ્રધાન તરીકે બીજું બજેટ રજૂ કરશે. મહત્વનું છે કે આ બજેટ સત્ર 29 માર્ચ સુધી ચાલશે આ દરમિયાન બિનઅધિકૃત વિકાસ નિયંત્રણ સુધારા વિધેયક 2023 પણ રજૂ કરાઈ શકે છે.
આ દરમિયાન બજેટ બહુમતી સાથે સત્તામાં આવેલ રાજ્ય પટેલની સરકાર બજેટમાં ખેડૂતો શિક્ષણ માટે, પ્રવાસન માટે , રોજગારીની યોજનાઓ , મૂડીરોકાણ અંગે શુ જોગવાઈ કરશે તે અંગે લોકો મીટ માંડી રહ્યા છે.