કેપ્ટન રોહિત શર્મા ઈજાના કારણે બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. બીસીસીઆઈ દ્વારા રવિવારે તેની પુષ્ટિ કરવામાં આવી છે કે, રોહિત શર્માની જગ્યાએ કેએલ રાહુલને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો
ઈજાના કારણે કેપ્ટન રોહિત શર્મા ટેસ્ટમાંથી બહાર
કેએલ રાહુલને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો
કેપ્ટન રોહિત શર્મા ઈજાના કારણે બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. બીસીસીઆઈ દ્વારા રવિવારે તેની પુષ્ટિ કરવામાં આવી છે કે, રોહિત શર્માની જગ્યાએ કેએલ રાહુલને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
The selection committee has also added fast bowler Jaydev Unadkat to India’s squad for the Test series.
બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. કેપ્ટન રોહિત શર્મા ઈજાના કારણે પ્રથમ ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો છે. બીસીસીઆઈએ પ્રથમ મેચ માટે કેએલ રાહુલને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 14 ડિસેમ્બરથી પ્રથમ ટેસ્ટ મેચ રમાશે.
રોહિત શર્માને ODI શ્રેણીમાં ઈજા થઈ. આ ઈજાને કારણે તેને યોગ્ય મેનેજમેન્ટની સલાહ આપવામાં આવી છે અને તે બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચ રમી શકશે નહી.
બીસીસીઆઈની મેડિકલ ટીમ બીજી અને અંતિમ ટેસ્ટ તે રમી શકશે કે નહી તે અંગે પછી નિર્ણય લેશે. ત્યારે પસંદગી સમિતિએ તેના સ્થાને અભિમન્યું ઈશ્વરને ટીમમાં સામેલ કર્યો છે.
માત્ર રોહિત શર્માં જ નહી પરંતું મોહમ્મદ શમી અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ આ સિરીઝમાંથી બહાર થઈ ગયા છે. બીસીસીઆઈએ માહિતી આપી છે કે ફા્ટ બોલર મોહમ્મદ શમી અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા હજુ ખભા અને ઘૂંટણની ઈજામાંથી સંપૂર્ણ સ્વસ્થ થયા નથી અને ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે.
પસંદગીકારોએ શમી અને જાડેજાના સ્થાને અનુક્રમે નવદીપ સૈની અને સૌરભ કુમારને પસંદ કર્યા છે. પસંદગી સમિતિએ ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમમાં ઝડપી બોલર જયદેલ ઉનડકટનો પણ સમાવેશ કર્યો છે.