મહારાષ્ટ્ર ATSએ ઔરંગાબાદ અને થાણેમાં દરોડા પાડીને ISIS સાથે જોડાયેલા 3 શંકાસ્પદની ધરપકડ કરી છે. હાલ ત્રણેય શંકાસ્પદની ATSએ પૂછપરછ હાથ ધરી છે. આ ત્રણેય શખ્સ ISIS આતંકી સંગઠન સાથે જોડાયેલા હોવાની આશંકા છે.
ઝડપાયેલા શંકાસ્પદમાં એક ઔરંગાબાદનો ડોક્ટર છે. ત્યારે ISIS સાથે કેવા પ્રકારના સંબંધો છે કે કેમ તે મામલે ATSએ પૂછપરછ હાથ ધરી છે. તો દરોડા દરમિયાન ATSને કેટલાક અગત્યના પુરાવા પણ મળ્યા છે.
26 જાન્યુઆરી પહેલા પણ 3 લોકોની કરાઇ હતી ધરકપકડ
સ્વતંત્રતા દિવસને અનુસંધાને સમગ્ર દેશમાં સુરક્ષા એજન્સીઓ તમામ ગતિ-વિધિઓ પર બાજ નજર રાખી રહી છે ત્યારે આજરોજ મહારાષ્ટ્રમાં કેટલાક સ્થળો પર સુરક્ષા એજન્સીઓએ પાડેલ રેડમાં 3 લોકોને ઝડપી લીધા હતા.
આ આતંકવાદીઓ મુંબઇના નાલાસોપારા અને સતારામાંથી ઝડપાયા હતા. આ લોકોની પાસેથી મોટી સંખ્યામાં હથિયાર અને બોમ્બ સહિત બોમ્બ બનાવવાની સામગ્રીઓ મળી આવી હતી.
મહારાષ્ટ્ર ATSના જણાવ્યા અનુસાર, ઝડપાયેલા આતંકવાદીઓની યોજના કેટલાય સ્થળો પર આંતકવાદી હુમલો કરવાની હતી. ઝડપાયેલ આ લોકોમાં એક વૈભવ રાવત નામનો વ્યક્તિ પણ સામેલ છે જે કથિત રીતે ગૌ વંશ સમિતિનો સભ્ય હોવાનું ખુલવા પામ્યું હતું. આ વ્યક્તિ દક્ષિણપંથી સનાતન સંસ્થાનો પણ એક મોટો સમર્થક રહેલો છે.
આ સાથે ઝડપાયેલો બીજો વ્યક્તિ સુધાનવા ગોંડલેકર છે જેં મુંબઇના સતારાનો રહેવાસી છે. આ શખ્સ પણ હિંદૂ સંગઠન શ્રી શિવ પ્રતિષ્ઠાન હિંદૂસ્તાનનો સભ્ય છે. જેના કર્તાહર્તા સંભાજી ભીડે છે. આપને જણાવી દઇએ કે, સંભાજી ભીડેની વિરૂધ્ધ તાજેતરમાં બનેલ ભીમાં કોરેગાંવ હિંસાનો એક ગુનો દાખલ થયેલો છે.
આ સાથે જ ત્રીજો આરોપી શરદ કસાલકર નાલાસોપારાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ વ્યક્તિ વૈભવ રાવત સાથે ઝડપાયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર એટીએસે કસાલકર પાસેથી એક બોમ્બ બનાવવાની એક ચીઠ્ઠી પણ ઝ઼ડપી પાડી હતી. આ સાથે ગોંડલેકરને વિસ્ફોટકો બનાવવાનું સારૂ જ્ઞાન પણ હોવાનું ખુલવા પામેલ છે.
ઉલ્લેખનીય છે કે, એક તરફ દેશનો સ્વાતંત્રતા દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે દેશમાં ઠેર-ઠેર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ત્યારે આજરોજ મુંબઇમાંથી કેટલાક શકમંદોની પોલીસે ધરપકડ કરતા વાતાવરણમાં સન્નાટો છવાઇ જવા પામ્યો હતો.