અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટરનાં કરારમાં સીબીઆઇએ કથિત મધ્યસ્થીઓમાં ક્રિશ્ચિયન મિશેલ જેમ્સ સાથે બુધવારનાં રોજ પૂછપરછ કરી. પૂછપરછ બાદ સીબીઆઇએ કોર્ટને મિશેલની 14 દિવસની કાયદાકીય ધરપકડની માંગ કરી. જ્યાર બાદ કોર્ટે મિશેલને 5 દિવસનાં સીબીઆઇની કાયદાકીય ધરપકડમાં મોકલી દીધેલ છે.
આ દરમ્યાન સીબીઆઇએ તેને પાંચ ગંભીર સવાલો પૂછ્યાં. તમને જણાવી દઇએ કે મિશેલને સંયુક્ત અરબ અમીરાતથી પ્રત્યર્પિત કરીને મંગળવારનાં રોજ મોડી રાત્રીએ ભારત લાવવામાં આવ્યાં હતાં. એરપોર્ટથી ડાયરેક્ટ તેઓને સીબીઆઇ મુખ્યાલય ખાતે લાવવામાં આવ્યાં. જ્યાં તેઓની સાથે પૂછપરછ કરવામાં આવી.
સીબીઆઇએ મિશેલને જે-જે સવાલ કર્યા તે આ છે...
અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કરારમાં સીબીઆઇએ કથિત મધ્યસ્થીઓમાં ક્રિશ્ચિયન મિશેલ જેમ્સિની બુધવારનાં રોજ પૂછપરછ કરી. આ દરમ્યાન સીબીઆઇએ તેઓને પાંચ ગંભીર સવાલો કર્યાં. તમને જણાવી દઇએ કે મિશેલને સંયુક્ત અરબ અમીરાતથી પ્રત્યર્પિત કરીને મંગળવારનાં રોજ મોડી રાત્રીએ ભારત લાવવામાં આવ્યાં હતાં. એરપોર્ટથી ડાયરેક્ટ તેઓને સીબીઆઇ મુખ્યાલયે લાવવામાં આવ્યાં કે જ્યાં તેઓની સાથે પૂછપરછ કરવામાં આવી.
આ મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર મામલામાં કોંગ્રેસનું સ્ટેન્ડ બિલકુલ ક્લિયર છે. તેઓએ જણાવ્યું કે અમે આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરીને બધું જ કહી ચૂક્યાં છીએ પરંતુ પીએમ મોદીને પણ રાફેલ મામલામાં તમામ વાત કહેવી જરૂરી છે. તેઓએ વધુમાં એમ પણ કહ્યું કે 30 હજાર કરોડ રૂપિયા અનિલ અંબાણીને કેમ આપી દેવામાં આવ્યાં.
સીબીઆઇએ જે-જે સવાલો મિશેલને પૂછ્યાં હતાં તે આ છે...
1. 'એપી' અને 'એફએએમ' કોણ છે અને આ લોકોને લાંચ રૂપે કેટલી રકમ આપવામાં આવી?
2. શું કરારની પ્રક્રિયા પર આપની નજર હતી?
3. વાયુસેનાનાં વરિષ્ઠ અધિકારીઓ સાતે આપનાં સંબંધ શું હતાં?
4. શું આપે વાયુસેનાનાં અધિકારીઓને પ્રભાવિત કરવા માટે અગસ્તાનાં વિનિર્દેશોમાં ફેરફાર કર્યો?
5. શું 5 ખોટાં એકાઉન્ટ દ્વારા આપને લાંચ આપવામાં આવી?
શું છે આ સમગ્ર મામલો?
તમને જણાવી દઇએ કે કોંગ્રેસ નેતૃત્વવાળા યૂપીએ શાસન દરમ્યાન 8 ફેબ્રુઆરી 2010નાં રોજ નક્કી થયેલા આ કરારમાં 54 વર્ષીય બ્રિટિશ નાગરિક મિશેલની ભૂમિકા ત્રણ મધ્યસ્થીઓમાંની એક હતી. સીબીઆઇ અને પ્રવર્તન નિર્દેશાલય (ED)એ આ મામલામાં બે અન્ય લોકો ગાઇડો હાસેક અને કાર્લો ગેરોસાને પણ મધ્યસ્થી તરીકે આરોપી બનાવેલ છે.
ભારતે સીબીઆઇ અને ED તરફથી દાખલ કરેલ કેસને આધારે 2017માં અધિકૃત રીતે તેઓનાં પ્રત્યાર્પણને માટે યૂએઇને આગ્રહ કર્યો હતો કે જ્યાં તે ગોટાળા બાદથી રહી રહેલ હતો. ત્યાર બાદ મિશેલની દુબઇ પોલીસે ધરપકડ કરી લીધી અને તેનાં પ્રત્યાર્પણની પ્રક્રિયા જ હાલમાં ચાલી રહી છે.