દુબઈની કોર્ટે અગસ્તા વેસ્ટલેન્ડના વચેટિયા ક્રિશ્ચિન મિશેલને ભારત પ્રત્યાર્પિત કરવા વિચારણા કરી રહી છે. આ મામલે દુબઈની એક કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ. સુનાવણી દરમિયાન દુબઈની કોર્ટે વચેટિયા ક્રિશ્ચિન મિશેલના તર્કનો અસ્વીકાર કર્યો. હવે આરોપી ક્રિશ્ચિન મિશેલને ભારતીય તપાસ એજન્સીઓ હવાલે કરવાની સંભાવના વધી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે તપાસકર્તા અધિકારીઓના મતે મિશેલ પાસે રૂ. 3 હજાર 700 કરોડની હેલિકોપ્ટરની ડિલમાં થયેલાં કૌભાંડની તમામ જાણકારી છે. હાલમાં હાથ ધરાયેલી સુનાવણી મિશેલને ભારત પ્રત્યાર્પિત કરવાની પ્રક્રિયાનો ભાગ છે.
જો કે હજુ ભારતીય એજન્સીઓને UAE અધિકારીઓ દ્વારા કોઈ સત્તાવાર આશ્વાસન મળ્યા નથી. પણ ભારતીય અધિકારીઓએ યુએઈની કોર્ટમાં થયેલી કાર્યવાહી અને આદેશને મેળવીને તેનું અરબીમાંથી અંગ્રેજીમાં અનુવાદ કર્યું છે.
પ્રાપ્ત જાણકારી મુજબ સુનાવણી દરમિયાન મિશેલે કહ્યું કે ભારતમાં ચાલી રહેલા રાજકારણને પગલે મને નિશાન લેવામાં આવ્યો છે. કોર્ટે આ તર્કનો અસ્વીકાર કર્યો હતો.