વરસાદ અને વાવાઝોડાએ ખેડૂતોની મહેનત ઉપર પાણી ફેરવી દીધુ છે. ત્યારે નવા વર્ષમાં ખેડૂતો માટે એક સારા સમાચાર છે. વરસાદને પગલે થયેલા નુકસનાના વળતર રૂપે, ખેડૂતો પાક વીમા માટે 48 કલાકની અંદર અરજી કરી શકશે.
ખેડૂતો માટે મહત્વના સમાચાર
પાક વીમાને લઇ કરી શકાશે અરજી
48 કલાકની અંદર અરજી કરી શકાશે
ગુજરાતમાં પાછોતરા ચોમાસાએ અને ક્યાર ચક્રવાતે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્ચા છે ત્યારે ખેડૂતો પાક વીમા દ્વારા પોતાને થયેલુ નુકસાન ઘટાડી શકે છે. પાક વીમાને લઇ ખેડૂતો માટે મહત્ત્વના સમાચાર છે. ખેડૂતો વરસાદના કારણે થયેલા નુકસાનની અરજી કરી શકશે. આગામી 48 કલાકની અંદર ખેડૂતો અરજી કરી શકે છે. ખેડૂતો હેલ્પલાઇન નંબર અને વીમા કંપનીની ઓફિસે માહિતી આપી શકે છે.
હેલ્પલાઇન નંબર
ખેડૂતો માટે સૌથી મોટી સમસ્યા હોય તો ખેડૂતોને કોઇપણ સમયે અધિકૃત વૈજ્ઞાનિક અને ખેતીવાડી સંલગ્ન અધિકારીના નંબરો મળતા નથી. ત્યારે ખેડૂતો સૌથી વધુ ગૂચવાતા હોય છે. કોઇ પણ સમસ્યા સમયે તાત્કાલિક નંબર મળી રહે અને ખેડૂત સમસ્યા અંગે અધિકૃત અધિકારી સાથે વાત કરી સમસ્યાનો નિકાલ કરી શકે એ માટે નીચેના નંબર આપ્યા છે