વાવાઝોડા 'ક્યાર' અને 'મહા'ને કારણે તેમજ પાછોતરા ચોમાસાના કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન થયું છે. ત્યારે કૃષિમંત્રી આર.સી.ફળદુએ કહ્યું કે માવઠાની અસર વ્યાપક પ્રમાણમાં જોવા મળી છે. ખેડૂતોને મોટું નુકસાન થયું છે. હાલ રાજ્ય સરકારે 4 વીમા કંપનીઓ સાથે ચર્ચા કરી છે અને ખેડૂતોને નુકસાનીના વળતર મુદ્દે સૂચના આપવામાં આવી છે.
1.57 લાખ જેટલી અરજીઓ મળી
2.92 લાખ હેક્ટર વિસ્તારમાં નુકસાન
ગુજરાત પર મેઘરાજાની અસિમ કૃપા રહી હતી. છેલ્લા કેટલાક સમયથી વરસાદ પડ્યો છે. માવઠાની અસર વ્યાપક પ્રમાણમાં જોવા મળી છે. ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ખેડૂતો તરફથી વીમા કવચ માટે 1.57 લાખ જેટલી અરજીઓ મળી છે. 2.92 લાખ હેક્ટર વિસ્તારમાં નુકસાન થયું છે.
ગુજરાતમાં 144 ટકા વરસાદ થયો છે
ગુજરાતમાં 144 ટકા વરસાદ થયો છે. માવઠાની અસર વ્યાપક પ્રમાણમાં થઈ છે.
રાજ્ય સરકારે 4 વીમા કંપનીઓ સાથે ચર્ચા કરી
ખેડૂતોને નુકસાનના વળતર મુદ્દે સચૂના અપાઇ છે. અધિકારીઓ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. સર્વેની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. ફોર્મ ન લેવા મુદ્દે ફરિયાદો મળી હતી. વીમા કંપનીઓને લેખિતમાં અરજી લઇ સર્વે કરવા સૂચના આપી છે
કૃષિ વિભાગ સર્વે કરીને વળતર આપશે
33 ટકાથી વધુ નુકસાનવાળા ખેડૂતોને પણ વળતર આપશે. કેન્દ્ર સરકારના માધ્યમથી ખેડૂતોને વળતર અપાશે. મહા વાવાઝોડુ ફંટાઇ રહ્યું છે. વાવાઝોડાએ પોતાની દિશા બદલાઇ રહી છે. અતિ તીવ્રતાવાળુ વાવાઝોડુ મંદ પડ્યું છે