કેન્દ્ર સરકારના મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમે એવું જણાવ્યું કે કોરોનાને પહોંચી વળવાની ભારતની રણનીતિને ઈતિહાસમાં એક પરિપક્વ નીતિ તરીકે મૂલવવામાં આવશે
કોરોનાને પહોંચી વળવાની ભારતની રણનીતિને ઈતિહાસમાં એક પરિપક્વ નીતિ તરીકે મૂલવવામાં આવશે.
ભારતે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પર કુલ ખર્ચ જીડીપીના 1.5 ટકાથી વધારીને 3 ટકા કરવા પડશે
લોકોને ગરીબીમાંથી બહાર લાવવવા માટે રીડીસ્ટ્રીબ્યુટીવ નીતિઓને સક્ષમ બનાવી શકાય.
કેન્દ્ર સરકારના મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમે એવું જણાવ્યું કે કોરોનાને પહોંચી વળવાની ભારતની રણનીતિને ઈતિહાસમાં એક પરિપક્વ નીતિ તરીકે મૂલવવામાં આવશે. આરોગ્ય અને આર્થિક મોરચે આશાનું કિરણ છે. પરંતુ આપણે રસીકરણ સુધી સાવધાની રાખવી પડશે.તેમણે કહ્યું કે અર્થશાસ્ત્રીતરીકે અમારુ એવું માનવું છે કે નવા કૃષિ કાયદા લાભદાયી નીવડશે. ભારત વૈશ્વિક ઈનોવેશન પર્ફોમન્સમાં સર્વોપરી બન્યો છે.
ભારતે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પર કુલ ખર્ચ જીડીપીના 1.5 ટકાથી વધારીને 3 ટકા કરવા પડશે. નાણાકીય વર્ષ 2020-21 માં જોખમની શક્યતાની વચ્ચે બેન્ક ક્રેડિટ સામાન્ય કરતા ઓછી રહી છે.જોકે ઓક્ટોબર 2020 માં કૃષિ અને સંબંધિત ગતિવિધિઓનો ક્રેડિટ ગ્રોથ વધીને 7.4 ટકા થયો છે. ઓક્ટોબર 2019 માં ક્રેડિટ ગ્રોથ 7.1 ટકા હતો.
તેમણે કહ્યું કે ભારતે ગ્રોથ પર ધ્યાન કેન્દ્રીત કરવું પડશે જેથી કરીને તે લોકોને ગરીબીમાંથી બહાર લાવવવા માટે રીડીસ્ટ્રીબ્યુટીવ નીતિઓને સક્ષમ બનાવી શકાય. લોકડાઉન ન કરાયું હોત તો પણ કોરોનાને કારણે આર્થિક મોરચે નોંધપાત્ર અસર પડી હોત. પરંતુ લોકડાઉનને કારણે સંકલિત જવાબ સુનિશ્ચિત થયો છે અને તેને કારણે આપણે જીવન તથા આજીવિકા બચાવવા માટે સક્ષમ બન્યા છીએ. વીજ માગ, રેલ ફ્રેઈટ, ઈ-વે બીલ્સ, જીએસટી કલેક્શન અને સ્ટીલ ખપત જેવા સૂચકાંકને કારણે ભારતની વી શેપ્ડ રિકવરી થઈ છે.
ઈકોનોમીક સરવે દેશના આર્થિક વિકાસના લેખાજોખા
ઈકોનોમીક સરવે દેશના આર્થિક વિકાસના લેખાજોખા હોય છે. આ સરવેથી સત્તાવાર રીતે દેશની ઈકોનોમીના ચિત્રની જાણકારી મળે છે. તે ઉપરાંત સરવે પરથી એ પણ જાણકારી મળે છે કે આગામી સમય માટે ઈકોનોમીમાં કેવા પ્રકારના સંભાવના હશે.સરળ શબ્દોમાં કહીએ તો નાણા મંત્રાલયના ઈકોનોમીક સરવેમાં ભારતીય અર્થવ્યવસ્થાનું આખું ચિત્ર જોઈ શકાય છે. ઈકોનોમિક સરવે દ્વારા સરકારને મહત્વના સૂચનો પણ મળી શકે છે જોકે સરવેમાં મળેલા સૂચનો કે ભલામણો લાગુ પાડવી કે નહીં સરકારની મરજી પર આધારિત હોય છે. આર્થિક સરવેને મુખ્ય આર્થિક સલાહકાર (સીઈએ)ની ટીમ તૈયાર કરે છે. હાલના મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ છે, તેમની આગેવાનીમાં આ સરવે તૈયાર કરાયો છે. નાણા મંત્રાલયના આ અતિ મહત્વના દસ્તાવેજને નાણાપ્રધાન દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવતો હોય છે.