સરકારે કોરોના વાયરસના સંકટની વચ્ચે લોકોને બચાવવા માટે 24 માર્ચથી લૉકડાઉન જાહેર કર્યું હતું. આ સંકટથી તેમને બહાર કાઢવા માટે સરકાર હવે કેટલીક સેવાઓ અને કેટલાક કામકાજને ફરીથી શરૂ કરવાનું નક્કી કર્યું છે. તમામ કામકાજ ગાઈડલાઈન અનુસાર જ ચાલુ થશે. આવતીકાલથી એટલે કે 20 એપ્રિલથી જાણો કયા કામકાજ ફરીથી શરૂ કરવામાં આવશે.
લૉકડાઉનમાં આવતીકાલથી અપાશે આ છૂટ
સરકાર આવતીકાલથી ચાલુ કરશે આ સેવાઓ
શનિવારે સરકારે જાહેર કર્યું હતું લિસ્ટ
શનિવારે સરકારે આ સેવાઓ અને પ્રવૃત્તિઓથી સંબંધિત નવી સૂચિ બહાર પાડી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે કોરોના ચેપગ્રસ્ત વિસ્તારોમાં જે બાબતોને મંજૂરી આપવામાં આવી નથી તેમાં આયુષ, કૃષિ અને બાગાયતી પ્રવૃત્તિઓ, માછીમારી (દરિયાઇ અને અંતર્ગત), વાવેતરની પ્રવૃત્તિઓ (ચા, કોફી અને રબર મહત્તમ 50 ટકા મજૂર) અને પશુપાલન સહિતની આરોગ્ય સેવાઓનો સમાવેશ આ સૂચિમાં કરવામાં આવ્યો છે.
Currently, lockdown is necessary. No relaxations should be given in the hotspots in the city. On 27th April, a review meeting will be held again: Delhi CM Arvind Kejriwal#COVID19pic.twitter.com/6xzrmI9tpf
નવી સૂચિમાં 20 એપ્રિલથી દેશના ઘણા ભાગોમાં આરોગ્ય સેવાઓ, ખેતી સંબંધિત પ્રવૃત્તિઓ, માછીમારી અને પશુપાલન પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવશે. આ સાથે, ચા, કોફી અને રબરના વાવેતરમાં મહત્તમ 50 ટકા મજૂરો સાથે કામ કરી શકાશે.
મનરેગા અંતર્ગત કામ કરવાની મંજૂરી આપવામાં આવશે, પરંતુ સામાજિક અંતર અને માસ્ક પહેરવાના નિયમોનું પાલન કરવું પડશે. વીજળી, પાણી અને ગેસ જેવી જાહેર ઉપયોગિતાની વસ્તુઓનું સંચાલન ચાલુ રહેશે. રાજ્યો વચ્ચે અને રાજ્યની અંદર માલની અવરજવરની છૂટ આપવામાં આવશે.
બાંધકામ ક્ષેત્રના કામ શરૂ થવા દેવામાં આવશે. કેન્દ્ર અને રાજ્ય સરકારોની ઓફિસો પણ 20 એપ્રિલથી ખુલી જશે.
નાણાકીય અને સામાજિક સેવાઓ ક્ષેત્ર, ખાનગી સંસ્થાઓ જેવી કે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા, જેવી નાની સંસ્થાઓ, નાના ઢાબાને પણ આ સૂચિમાં રાખવામાં આવ્યા છે.
સરકારે ચેતવણી આપી છે કે આ પ્રવૃત્તિઓને મંજૂરી આપવાનો મતલબ છે કે લોકોની મુશ્કેલીઓ ઓછી થાય, પરંતુ હાલના માર્ગદર્શિકાઓને અનુસરીને જ આ બાબતોની સ્વીકૃતિ થશે. સરકારે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને કચેરીઓ, કાર્યસ્થળો અને ફેક્ટરીઓમાં પ્રમાણભૂત ઓપરેટિંગ પ્રક્રિયાઓનું પાલન સુનિશ્ચિત કરવા સૂચના આપી છે.
કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે શનિવારે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે ભારતમાં 20 એપ્રિલ, 2020 થી શરૂ થનારી પ્રવૃત્તિઓ અને સેવાઓની સૂચિ જાહેર કરી છે. જો કે, તેમણે કહ્યું કે આ ઓપરેશન કોરોના વાયરસ સંક્રમિત વિસ્તારોમાં હાથ ધરવામાં આવશે નહીં.
Supply of non-essential goods by e-Commerce companies to remain prohibited during lockdown: Ministry of Home Affairs (MHA) pic.twitter.com/5wuB3mLXoT
અગાઉ જાહેર કરેલી યાદીમાં એમેઝોન, ફ્લિપકાર્ટ અને સ્નેપડીલ જેવા ઇ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા મોબાઇલ ફોન, ટીવી, રેફ્રિજરેટર્સ, લેપટોપ, કપડાં અને સ્કૂલનાં બાળકો માટે સ્ટેશનરી વસ્તુઓ અને કરિયાણા અને દવાઓ જેવી વસ્તુઓની વેચાણની મંજૂરી આપવામાં આવી હતી. હવેની નવી ગાઈડલાઈન અનુસાર ઈ કોમર્સ સાઈટ ફક્ત જીવન જરૂરિયાતની વસ્તુઓ જ વેચી શકશે. અન્ય વસ્તુઓ વેચવા પર પ્રતિબંધ મૂકાયો છે.
આ યાદીમાં નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (એનબીએફસી) અને માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓને આવશ્યક સેવાઓ તરીકે મૂકવામાં આવી છે જેથી તેઓ ફરીથી શરૂ થઈ શકે.
અનુસૂચિત જનજાતિ દ્વારા ઉત્પાદિત નાળિયેર, મસાલા, વાંસ અને કોકો વાવેતર અને વન પેદાશોનો પણ આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ગૃહ મંત્રાલયની એક સૂચના મુજબ ગ્રામીણ વિસ્તારોમાં પાણી પુરવઠો અને સ્વચ્છતાના કામ અને વીજ લાઇનો નાખવા, ટેલિકોમ ઓપ્ટિકલ ફાઇબર અને કેબલ્સને પણ મંજૂરી આપવામાં આવશે.