ગુજરાતના ખેડૂતો માટે રાહત આપતા સમાચાર છે. 10 જણસ ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, તુવેર, મગ, અડદ, મગફળી, તલ અને કપાસના ટેકાના ભાવ વધારાની કેન્દ્ર સરકારને ભલામણ કરાઈ છે.
રાઘવજી પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ચર્ચા
10 જણસના ભાવમાં વધારો કરવાનો નિર્ણય
કેન્દ્ર સરકારની ભાવ પંચ કમિટીને યાદી મોકલી
ખરીફ પાક ખરીદી બાબતે ભાવ નિર્ધારિત સમિતિની કૃષિમંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જે બેઠકમાં 10 જણસ માટેના ભાવ વધારા બાબતે ચર્ચા થઈ હતી. 10 જણસના ભાવમાં 8 થી 10 ટકા વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વધારા સાથેના ભાવની યાદી ભારત સરકારને મોકલી અપાઈ છે. નવા ભાવ કેન્દ્ર સરકારની ભાવ પંચ કમિટીને મોકલવામાં આવ્યા છે. તો ગુજરાતમાં 25 લાખ હેકટરમાં ચણા વાવેતર થયું છે. ચણાની 125 મણથી ઓછી ખરીદી થશે તો ખેડૂતોને નુકસાન થશે.
ખેડૂત સંઘના પ્રદેશ મહામંત્રીએ જણાવ્યું કે, નિષ્ણાંત કમિટીએ ગુજરાત સરકારને નવા ભાવની યાદી આપી અને ભલામણ કરી, હવે ગુજરાત સરકારે કેન્દ્ર સરકારને નવા ભાવ માટેની ભલામણ કરી છે. સોમવારે બેઠક મુલતવી રાખી હતી જેની ફરી બેઠક મળી છે. આગામી વર્ષે સરકાર જણસની ખરીદી કરતી હોય છે તેના ભાવો કેન્દ્ર સરકારને મોકલી આપ્યા છે. સંઘ ખેડૂતોની પડતર કિંમત પર નફો ચડાવીને ભાવ નક્કી કરે છે. જ્યારે બજારમાં ભાવ નીચા જતા રહે ત્યારે સરકાર ટેકાના ભાવ જાહેર કરતી હોય છે.