રાજ્યાના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન રાઘવજી પટેલે ચાર્જ સંભાળતા જ ખેડૂતોની આવક ડબલ કરી,ખેડૂતોના ટેકાના પોષણસમ ભાવ મળે તેવું આયોજન કરવામા આવશે તેવું જાણવ્યું છે.
રાઘવજી પટેલે કૃષિમંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો
APMC કર્મચારીઓને નુકશાન નહી થાય : કૃષિમંત્રી
હું સહકાર સાથે જોડાયેલો વ્યક્તિ છું : કૃષિમંત્રી
ગુજરાતમાં સરકારની ઈમેજ નવેસરથી ઊભી કરવા માટે જે નવી સરકાર રચાઈ છે તેમના માંથે મોટી જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે ગુજરાતની નવી રચાયેલી સરકારના મંત્રીઓને આજે સ્વર્ણિમ સંકુલ ખાતે ચેમ્બર ફાળવવામાં આવી જેમાં નવ નિયુક્ત મંત્રીઓએ ચાર્જ સંભાળ્યો હતો ત્યારે રાજ્યાના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન રાઘવજી પટેલને ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ચેમ્બર ફાળવાઈ છે કુષિમંત્રી રાઘવજી પટેલે ચાર્જ સંભાળતા જ ખેડૂતોના હિતની વાત કરી હતી.
APMC કર્મચારીઓને નુકશાન નહી થાય : કૃષિમંત્રી
કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે કૃષિમંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો છે ત્યારે આ દરમિયાન તેઓએ કહ્યું કે હું સહકાર સાથે જોડાયેલો વ્યક્તિ છું. APMCને બચાવવા તમામ પ્રયત્નો કરવામાં આવશે તેમજ APMC કર્મચારીઓને નુકશાન નહી થાય તેવું પણ રાઘવજી પટેલે કહ્યું છે.
હું સહકાર સાથે જોડાયેલો વ્યક્તિ છું : કૃષિમંત્રી
આજે સર્ણિમ સંકુલ ખાતે ચાર્જ સંભાળનાત રાઘવજી પટેલે કહ્યું કે અગાઉ પણ APMC મામલે કેન્દ્રને રજૂઆત કરી હતી અને ખેડૂતોને ટેકાના યોગ્ય ભાવ મળે તે બાબતે સરકાર વિચાર કરશે તેમજ ટેકાના ભાવ કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરાતા હોય છે ત્યારે ખેડૂતોની આવક ડબલ કરવાનું આયોજન સરકાર કરી રહી છે તેવું કુષિમંત્રી જણાવ્યું છે.