કૃષિમંત્રી રાઘવજી પટેલની VTV સાથે વાતચીતમાં સહાય, વીજપ્રશ્ન, ખાતર ભાવ વધારો તેમજ મગફળીના ટેકાના ભાવને લઈને મોટા ખુલાસા કર્યા છે.
જામનગર ગ્રામ્ય વિસ્તારમાં વીજ પ્રશ્ન
મંત્રી રાઘવજી પટેલ એક્શનમાં
કોલ કરી ફરિયાદ નોંધાવી શકાશે
જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં વીજ પ્રશ્નોનો મામલે કૃષિમંત્રી રાઘવજી પટેલ એક્શન મોડમાં આવી ગયા છે. મંત્રી રાઘવજી પટેલે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી વીજપ્રશ્નોને લઈને રજૂઆતો સાંભળી હતી. જે બાદ ગામડાઓમાં વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા અધિકારીઓને તાકીદ કરી હતી.
6357363604 પર 24 કલાક ફરિયાદ નોંધાવી શકાશે
જામગનગર ચોમાસામાં સર્જાયેલી પૂરની સ્થિતિ બાદ અનેક ગામડામાં વીજ પુરવઠો ઠપ્પ થઈ ગયો હતો. જે બાદ મોટા પાયે ગામડાઓને ફરી વીજ કનેક્શન સાથે જોડવા કામગીરી હાથ ધરાઇ હતી. પણ હાલમાં અનેક ગામડાઓ જ્યાં નાના મોટા વીજપ્રશ્નોની ફરિયાદ ઉઠી રહી છે. તેમાય ખાસ કરીને ખેડૂતોના સિચાઈ માટેના વીજ કનેક્શનનો મોટો પ્રશ્ન છે. જેથી મંત્રી રાઘવજી પટેલ સમક્ષ અનેક ફરિયાદો જતાં મંત્રીએ તાત્કાલિકના ધોરણે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી ગામડાઓમાં વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા આદેશા આપી દીધા છે તેમજ વીજ પ્રશ્નો માટે કોલ કરી ફરિયાદ નોંધાવવાની પણ સુવિધા આપવામાં આવી છે.જે માટે જામનગર જિલ્લા માટે 24 કલાક ચાલુ એવો 6357363604 નંબર જાહેર કરવામાં આવ્યો છે.
કૃષિમંત્રી રાઘવજી પટેલની VTV સાથે વાતચીતમાં મોટો ખુલાસો
ખેડૂતોની સહાય અને વીજ પ્રશ્ન તેમજ મગફળીના ટેકાના ભાવના મુદ્દે કૃષિમંત્રી રાઘવજી પટેલે VTV સાથેની વાતચીતમાં ખુલાસો કર્યો હતો સીએમ ભૂપેન્દ્ર પટેલની એવી ઈચ્છા છેકે ચોક્કસ સર્વે કરી જેટલુ બને તેટલું ઝડપી ખેડૂતોને સહાયનું ચૂકવણું કરવામાં આવે. જેના માટે કૃષિ વિભાગ રાત દિવસ કામ કરી રહ્યો છે. ખાતરમાં ભાવ વધારા મુદ્દે પણ રાઘવજી પટેલે સ્પષ્ટતા કરી હતી કે ભાવ વધારાની વાત હાલ સુધી તેમના પાસે પહોંચી નથી.તો બીજી તરફ મગફળીના ટેકાના ભાવ મુદ્દે પણ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે મગફળીના ટેકાના ભાવ કેન્દ્ર સરકાર નકકી કરે છે આ વખત પણ ખેડૂતને સારા એવા ટેકાના ભાવ મળી રહ્યા છે. ખાદ્યતેલમાં વધારોએ માંગ અને ઉત્પાદન પર આધારીત છે. જેથી ખેડૂતોને પોતાના પાકના પુરતા ભાવ આપવામાં સરકાર કટિબદ્ધ છે.
ગુજરાતમાં કોઈ વીજકાપ નથી
વિશ્વ સહિત ભારતમાં પણ કોલસાની અછતને કારણે વીજસંકટના ભણકારા વાગી રહ્યા છે તે વચ્ચે સરકારે ગુજરાતના ખેડૂતો માટે મોટી જાહેરાત કરી હતી કે કોલસાની અછતની અસરથી વીજકાપ મૂકવામાં નહીં આવે, જો વીજ કાપનો નિર્ણય લેવામાં આવ્યો હોત તો પહેલા ખેડૂતોને મળતી વીજળીમાં કાપના એંધાણ હતા પણ સરકારની સ્પષ્ટતા બાદ ખેતીમાં આપાતા વીજ સપ્લાય પર કોઇ કાપ મુકાશે નહીં.ખેડૂતોને 10 કલાક વીજળી મળશે તેવી જાહેરાત સરકાર 12 ઓકટોબરના રોજ કરી ચૂકી છે.