ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી બાદ આજે કૃષિમંત્રી રાઘવજી પટેલને પણ કોરોના સંક્રમિત
રાઘવજી પટેલને કોરોના
રાઘવજી પટેલ હોમ આઇસોલેટ
સંપર્કમાં આવેલાને ટેસ્ટ કરાવવા અપીલ
રાજ્યમાં વધુ એક મંત્રી કોરોનાગ્રસ્ત થયા છે. ગુજરાત સરકારના કૃષિમંત્રી રાઘવજી પટેલને હળવા લક્ષણો દેખાતા તેમણે રિપોર્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવતા તે આઈસોલેટ થયા છે. તેમજ સંપર્કમાં આવેલા તમામને ટેસ્ટ કરાવવા મંત્રીએ કરી અપીલ કરી છે. આ પહેલા સરકારના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ કોરોના ઝપેટામાં આવી ગયા હતા.
ટ્વીટ કરી કૃષિમંત્રી રાઘવજી પટેલે જાણકારી આપી
આજરોજ મને કોરોનાના સામાન્ય લક્ષણો દેખાયા બાદ મેં કોરોના ટેસ્ટ કરાવ્યો અને મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
છેલ્લા થોડાક દિવસોમાં મારા સંપર્કમાં આવેલ તમામ મિત્રો, શુભેચ્છકોને સ્વેચ્છાએ સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક ટેસ્ટ કરાવી લેવા વિનંતી કરું છું.
મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ કોરોના પોઝિટિવ
ગુજરાતમાં કોરોના કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. બાળકો, ડોકટરો, પોલીસ સ્ટાફ, આરોગ્ય વિભાગના કર્મચારીઑ કોરોના સાંપડી રહ્યો છે. ત્યારે ગુજરાત સરકાર પ્રવક્તા તેમજ મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી કોરોના સંક્રમિત થયા હતા. હળવા લક્ષણો હોવાથી તેઓએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો હતો. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોમ આઇસોલેટ થઈ સારવાર લઈ રહ્યા છે. તેમને સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવી લેવા અપીલ કરી છે.
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ થયા હતા કોરોના સંક્રમિત
આ પહેલાઆ ગુજરાત સરકારના રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જે બાદ તે થોડા દિવસ હોમ આઈસોલેટ થયા હતા. પછી કોરોના ટેસ્ટ નેગેટિવ આવતા તે ફરી કામ પર પરત ફર્યા છે. આ સિવાય પણ ગુજરાતના ઘણા નેતાઓ અને ધારાસભ્યો કોરોના પોઝિટિવ આવી ચૂક્યા છે.
આટલા નેતાઓ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે
અક્ષય પટેલ, ધારાસભ્ય, કરજણ
અનિલ જોશીયારા, ધારાસભ્ય, ભીલોડા
કુંવરજી બાવળીયા, ધારાસભ્ય, જસદણ
પરસોત્તમ સાબરિયા, ધારાસભ્ય, ધ્રાંગધ્રા
યોગેશ પટેલ, ધારાસભ્ય, માંજલપુર
પ્રતાપ દૂધાત, ધારાસભ્ય, સાવરકુંડલા
શૈલેષ સોટ્ટા, ધારાસભ્ય, ડભોઈ
પિયુષ પટેલ, ધારાસભ્ય, નવસારી
ઝંખના પટેલ, ધારાસભ્ય, ચોર્યાસી
જીતુ ચૌધરી, મંત્રી
ગુજરાતમાં શનિવારે 23,150 કેસ નોંધાયા હતા
ગુજરાતમાં કોરોના કેસ કુદકેને ભૂસકે સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 23,150 કેસ કોરોના પોઝિટિવ આવતા ફફડાટ વ્યાપ્યો છે. આજે સૌથી વધુ અમદાવાદમાં 8,332 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં1876 કેસ તો રાજકોટ શહેરમાં 1707 કેસ, વડોદરા શહેરમાં 2823 કેસ સામે આવ્યા છે. ગાંધીનગરમાં 547 કેસ, ભાવનગર શહેરમાં 401 કેસ સામે આવતા જાણે કોરોના કેસોનું કીડિયારું ઉભરાયું હોય તેવી સ્થિતિ પેદા થઈ ચૂકી છે. તો કોરોનાને લીધે 15 લોકોના મોત થયા છે. જ્યારે 10103 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની 1,29, 875 સંખ્યા સુધી પહોંચી ગઈ છે